Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહીસાગરમાં પૂર આવતાં ઉમેટા ગામ સંપર્ક વિહોણું બન્યુ, 45 ગામો ઍલર્ટ પર

Webdunia
શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (12:58 IST)
છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ધોધમાર વરસાદને પગલે કડાણા ડેમમાંમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે મહીસાગર નદી કાંઠાનાં ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. વડોદરા અને ખેડા જિલ્લાને જોડતો ગળતેશ્વર બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. આ ઉપરાંત પાનમ ડેમમાંથી 1.50 લાખ ક્યૂસેક પાણી છોડાતા મહીસાગર નદીમાં પૂર આવ્યું છે.

પૂરની સ્થિતિના પગલે આણંદ જિલ્લાનાં 45 ગામો ઍલર્ટ પર છે.મહીસાગરમાં ભારે પૂર આવતાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાનું ઉમેટા ગામ વિખૂટું પડ્યું છે. કડાણા ડેમમાં સતત વધતી સપાટીને ધ્યાનમાં રાખીને ડેમના 16 ગેટને 15 ફુટ સુધી ખોલીને 8 લાખ ક્યૂસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.ગઈકાલે મહીસાગર નદીમાં પાણી છોડાતાં કુલ 45 ગામો ઍલર્ટ છે. ગઈકાલે 40 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. ખેડા જિલ્લાનો ગળતેશ્વર-સાવલીને જોડતો બ્રીજ બંધ કરાયો છે, જ્યારે ઉમેટાથી વડોદરાને જોડતો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે.કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં વણાકબોરી ડેમ પણ ઓવરફ્લો થયો છે. કડાણા અને વણાકબોરીના પાણીના કારણે ચરોતર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments