Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત: કોરોના વાઇરસ સાથે સાથે ગરમીએ લોકોને કર્યા પરેશાન, વરસાદની આગાહી

Webdunia
શુક્રવાર, 29 મે 2020 (11:28 IST)
ગુજરાતમાં ગરમીનો પારો ધીમે-ધીમે ચડી રહ્યો છે. તેમજ રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં મહતમ તાપમાનનો પારો 43ની આસપાસ ઉપર પહોંચ્યો છે. ગુજરાતના નાગરિકોને હવે કોરોના વાઇરસની સાથે સાથે ધગધગતા તાપથી પરેશાન થવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા દિવસથી નાગરિકોને આગ ઓકતી ગરમી દઝાડી રહી છે. કોરોના વાઇરસનો ભય નાગરિકોમાં છે. સાથે સાથે ખુબ જ અગત્યના કામ માટે નાગરિકો એ મજબૂરીમાં ઘર બહાર નીકળવું પડી રહ્યું છે. શહેરના રસ્તામાં સામાન્ય દિવસો કરતા ઓછા વાહન ચાલકો જોવા મળી રહયા છે. ખાસ કરીને વાત કરીએ તો શરીર દઝાડતી ગરમી વચ્ચે નાગરિકો ગરમીથી બચવા માટે વાહન ચલાવતી વખતે ટોપી તેમજ રૂમાલનો સહારો લેવા મજબૂર બન્યા છે.
 
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં અમદાવાદ અને ભાવનગરમાં આખાયે ગુજરાતમાં સૌથી વધુ 43.7 ડીગ્રી તાપમાન નોંધાયુ છે. તો પાટનગર ગાંધીનગરમાં 43.2 ડીગ્રી જ્યારે અમરેલીમાં 43 ડીગ્રી તાપમાન નોંધાયુ છે. 
 
અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ હવે વધી રહ્યું છે.  અમદાવાદમાં હવે દિવસ દરમિયાન અને રાત્રી ગાળા દરમિયાન પણ પંખા અને એસીનો ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે. સુરતમાં ગરમીનો પારો પણ ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છે સુરતમાં લોકડાઉન વચ્ચે ગરમીનો પારો 38 થી ૩૯ ડિગ્રી સુધી પહોંચ્યો છે. કેટલાક લોકો ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આમ પણ ઓફિસ અને દુકાનો સાંજે ચાર વાગ્યા સુધી છે. ખુલ્લી રાખવાના આદેશને પગલે બપોરે ઠંડા પીણા સહિત આઈસક્રીમ પાર્લર પર લોકોની ભીડ ખૂબ ઓછી જોવા મળી રહી છે. સુરતમાં આગામી દિવસોમાં વાવાઝોડાના સંકટને પગલે પવન ફૂંકાઇ રહ્યો છે, જેને કારણે ગરમીનો પારો 33 થી 34 સુધી પહોંચ્યો છે.
 
રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે. કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે આજે અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. પણ 29 મેથી 31 મે દરમિયાન સામાન્ય વરસાદ થઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments