Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વામીજીની અંતિમ વિદાય- :પંચમહાભુતમાં વિલિન લાખો હરિભક્તોએ ભીની આંખે સ્વામીજીની અંતિમ વિદાય

Hariprasad Swami Maharaj
, રવિવાર, 1 ઑગસ્ટ 2021 (19:21 IST)
સોખડા હરિધામ મંદિરના લીમડા વનમાં સંતોએ મુખાગ્નિ આપીને હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કર્યાં હતા. હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા છે. પંચમહાભુતમાં વિલિન લાખો હરિભક્તોએ ભીની આંખે સ્વામીજીની અંતિમ વિદાય.  પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં સંતો જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં. 
 
અંત્યેષ્ટી માટે ચંદન,કેર, ઉમરો, પીપળો, સેવન, તુલસી અને લીમડાના લાકડાનો ઉપયોગ થયો હતો. અખંડ દીપથી ચિતા પ્રજ્વલિત કરાયો હતો. ચંદનના લાકડાનું સિંહાસન સ્વામીજી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યુ. તો બીજી તરફ, અંત્યેષ્ટિ વિધિ વિધિમાં નાંખવા હરિભક્તોએ સોનાનું દાન પણ કર્યું છે. મહિલા હરિભક્તોએ પોતાના સોનાના દાગીના દાન કર્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિદ્યાર્થીઓને મળી મોટી રાહત: NET ક્લિયર કરનારાને મળ્યો વધારાનો સમય