Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગૃહમંત્રીના વિસ્તારમાં ત્રાસ વર્તાવનારા લુખ્ખાઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

Webdunia
મંગળવાર, 10 એપ્રિલ 2018 (15:32 IST)
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તારમાં જ બેફામ બનેલા લુખ્ખાઓને આખરે પોલીસે સબક શીખવ્યો છે. મહત્વનું છે કે, આ ગુંડાઓથી લોકો એટલા ત્રાસી ગયા હતા કે તેમણે તાજેતરમાં જ રેલી કાઢીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. લોકોનો રોષ જોઈ જાગેલી પોલીસે આખરે પાંચમાંથી ત્રણ લુખ્ખાઓની ધરપકડ કરી હતી.પોલીસે ન માત્ર આ લોકોની ધરપકડ કરી હતી, પરંતુ તેઓ ફરી આવું ન કરે તે માટે તેમની જાહેરમાં પરેડ કરાવાઈ હતી. પોલીસે તેમને તેમના જ એરિયામાં લઈ જઈ ઉઠબેસ કરાવી હતી, અને કૂકડો બનાવ્યા હતા.

જે ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે તેમના નામ અજિતસિંહ વાઘેલા, વિઠ્ઠલ ઉર્ફે કાણીયો છે, જ્યારે એકનું નામ જાણી નથી શકાયું.પોલીસે આ ત્રણેલ લુખ્ખાઓનું જાહેરમાં સરઘસ કાઢી તેમની સરભરા કરી હતી, અને તેઓ જે લોકોને હેરાન કરતા હતા તેમની પાસે પોલીસે માફી પણ મગાવડાવી હતી. રામોલની વિવિધ સોસાયટીઓમાં રહેતા 700 જેટલા લોકોએ આ લુખ્ખાઓના ત્રાસથી કંટાળીને રેલી કાઢી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પોલીસ સમક્ષ અનેકવાર રજૂઆત કરાયા બાદ પણ કોઈ કાર્યવાહી નહોતી કરાતી.   સીનિયર પોલીસ અધિકારીઓએ તેમણે અસામાજીક તત્વો સામે કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપને નકારતા કહ્યું હતું કે, તેઓ ઘણા સમયથી આરોપીઓને શોધી રહ્યા હતા, પરંતુ તેઓ પકડમાં નહોતા આવતા.પોલીસને સોમવારે આ ગુંડાઓના લોકેશન અંગે માહિતી મળી હતી, અને તેમની ધરપકડ કરાઈ હતી. પોલીસે તમામ આરોપીઓ સામે પાસા લગાડવાની કાર્યવાહી આરંભી દીધી છે. જે બે લોકો હજુય ફરાર છે તેમને પણ પોલીસ શોધી રહી છે.  શનિવારે રામોલના લોકોએ રેલી કાઢી ચિમકી આપી હતી કે, જો અસામાજિક તત્વો સામે કાર્યવાહી ન થઈ તો તેઓ પ્રદીપસિંહના ઘર પર પણ મોરચો લઈ જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments