Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં દરિયાઇ માર્ગે ઘૂસવાના પ્રયાસમાં પાકિસ્તાની આતંકી, કચ્છમાં એલર્ટ

Webdunia
બુધવાર, 14 ઑગસ્ટ 2019 (13:23 IST)
જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ બાદ  આતંકીઓ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરે તેવા આઇબીને ઇનપુટ મળતા ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ કચ્છની દરિયાઈ અને ખાડી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સાથે સાથે કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપવામાં આવ્યા છે.ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં એલર્ટના પગલે કચ્છના દરિયામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. જ્યારે કચ્છના માર્ગો પર પોલીસ દ્વારા દરેક વાહનોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કચ્છમાં કોઇપણ પ્રકારની દેશ વિરોધી પ્રવૃત્તિ ન ઘટે તેને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક થઇ ગઇ છે. જાહેર સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.તો બીજી તરફ કચ્છના દરિયાઇ વિસ્તારમાં એલર્ટ ને લઇને સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ તો કરવામાં આવી જ રહ્યું છે પરંતુ સાથે સાથે કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપવામાં આવ્યા છે. જ્યારે અટપટ્ટી ક્રીકથી લઇને ભૂજ-ભચાઉ ધોરીમાર્ગ સહિતના મહત્વના સ્થળો પર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લખપત-કોટેશ્વર વિસ્તારમાં સ્વતંત્રતા પર્વ તેમજ એલર્ટના પગલે BSF હેલિકોપ્ટર મારફત હવાઇ નિરીક્ષણ કર્યું.ગુજરાતમાં પૂર્વ કચ્છના એસપી પરીક્ષિત રાઠોડે કહ્યું કે, ઘુસણખોરી અટકાવવા અમે દરેક સાવચેતી લઈ રહ્યા છીએ. પાકિસ્તાનની સરહદવાળા વિસ્તારોમાં મોટી સંખ્યામાં મરીન અને બોર્ડર પોલીસ તૈનાત છે. સરહદની નજીક રહેતા લોકો, માછીમારોને ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ સંવેદનશીલ વાહન, બોટ અને વ્યક્તિની નજર પર પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments