Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્યાં સુધી સુરક્ષિત ગુજરાતના બણગાં ફૂંકશો? સુરતમાં માસૂમ પર દુષ્કર્મ આચરી હવસખોરો ફરાર

Webdunia
મંગળવાર, 17 ડિસેમ્બર 2019 (11:50 IST)
સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં ફરી એકવાર માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. પિતા સાથે રામ લીલા જોવા ગયેલી બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ કરી ઘર નજીક છોડી દેવામાં આવી હતી. જોકે બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળતાં પરિવાર બાળકી સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા દોડી ગયું હતું. બાદમાં પોલીસ બાળકીને સારવાર અને તબીબી પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ લાવી હતી. સુરતમાં મજુરી કરતો પરિવાર ચાર વર્ષની બાળકીને લઈને રામ લીલા જોવા ગયા હતા, ત્યાં કોઈ હવસખોરો દ્વારા આ ચાર વર્ષની બાળકીનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે. પિતા, અને પરિવાર દ્વારા આખી રાત આ બાળકીની શોધખોળ પણ કરવામાં આવી હતી, પરંતુ બાળકી મળી નહી. વહેલી સવારે બાળકીને હવસખોર દુષ્કર્મ આચર્યા બાદ બાળકીના ઘર નજીક છોડીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાળકી અચાનક પ્રાઇવેટ પાર્ટ પાસે લોહી લુહાણ હાલતમાં પોતાના ઘરે પહોંચતા પરિવાર ચોકી ઉઠ્યો હતો, અને બાળકીને લઈને તાતકાલિક પોલીસ મથકે દોડી જઈને આ મામલે ફરિયાદ કરી હતી. બીજી બાજુ ફરિયાદના આધારે પોલીસ દ્વારા આ બાળકીને સારવાર અને મેડિકલ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધારો જોવા મળી રહ્યો છે. નવેમ્બર માસમાં જ પોલીસ ચોપડે નવ ગુના નોંધાયા હતાં. જેમાં બે દુષ્કર્મની ઘટનામાં બાળકીઓને પીંખી નાખવામાં આવી હતી. સલાબતપુરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 11 વર્ષિય બાળકી સાથે તેના સાવકા પિતાએ બળાત્કાર ગુજાર્યો હતો, જ્યારે લાલગેટના ભરીમાતા વિસ્તારમાં ગુરૂવારે સવારે 18 વર્ષના તરૂણે 8 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આસપાસના લોકોએ તેને પકડી લીધો હતો. બાળકી ઘર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તરૂણે બાળકીને ઇંડા લેવા જવાનું કહીને ઘરમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સોનું અને ચાંદી સસ્તા થયા, જાણો 22-24 કેરેટ સોનાના ભાવ કેટલા રૂપિયા ઘટ્યા

કોલકતામાં ડૉક્ટરના રેપ-મર્ડરની વિરુદ્ધમાં થઈ રહેલાં પ્રદર્શનો પર પોલીસનો લાઠીચાર્જ

ભારતમાં બૈન થશે Telegram? એજન્સીઓના રડારથી 50 લાખ યુઝર્સને આંચકો

મોરબી જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લો, માળિયા હાઇવે 36 કલાક માટે બંધ કરાયો

થાણેમાં સંબંધ શરમજનક, પિતાએ સગીરા પર કર્યો બળાત્કાર, પુત્રીએ નોંધાવ્યો કેસ; આરોપી ફરાર

આગળનો લેખ
Show comments