Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં લવ મેરેજ કરનાર કપલને સગાઓ તરફથી ધમકીઓ મળતાં આત્મહત્યા કરવાનો વિચાર કર્યો

Webdunia
સોમવાર, 26 એપ્રિલ 2021 (14:28 IST)
અમદાવાદમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના સાસરે જઈ પિયરપક્ષના લોકો ધમકી આપતા હતા. એક કિસ્સામાં કંટાળી દંપતીએ આપઘાત કરવાનો વિચાર કરી લીધો હતો જો કે મહિલા હેલ્પલાઇન 181ની તેઓએ મદદ લીધી હતી અને બંને કિસ્સામાં પિયર પક્ષના લોકોને સમજાવ્યા હતા કે દીકરી તેના સાસરે ખુશ છે અને કોઈ હેરાનગતિ નથી તો દબાણ કરવું જોઈએ નહીં. મહિલા હેલ્પલાઇન અભ્યમ 181ને અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ વિસ્તારમાંથી મહિલાનો ફોન આવ્યો હતો કે તેમને પ્રેમલગ્ન કર્યા છે અને તેમના માતા-પિતા ઘરે આવી માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. પતિ અને પત્નીને આત્મહત્યાનો વિચાર આવે છે જેથી મદદ માંગી હતી.


મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી અને વાત સાંભળી હતી. મહિલાએ તેમના માતા-પિતા વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા પરંતુ માતા-પિતા તેના સાસરે આવી બંનેને હેરાન પરેશાન કરતા હતા. બંને પતિ પત્ની છે તો હવે તેમને હેરાન ન કરવા મહિલા હેલ્પલાઇને સમજાવ્યા હતા. તેઓ પર કોઈપણ જાતનું દબાણ ન કરી શકો તેમ સમજાવ્યા હતા અને પતિ- પત્નીને કાયદાકીય સમજ આપી હતી. જો કે મહિલાને ફરિયાદ કરવી હોવાથી સોલા પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા હતા. બીજ કિસ્સામાં વેજલપુર વિસ્તારમાં રહેતા દીપાબેન (નામ બદલ્યું છે)ના નાનપણમાં માતાનું અવસાન થઈ રહ્યા હોવાથી તેમના મોટા મમ્મી સાથે રહી મોટા થયા હતા. 1 વર્ષ પહેલાં તેઓએ પાડોશમાં રહેતા યુવક સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા હાલમાં તેઓ 8 મહિનાની પ્રેગ્નન્સી છે. અન્ય જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેમના મોટા મમ્મી અવારનવાર ઘરે આવીને ઝઘડો કરતા હતા નાનપણથી મોટી કરી અને હવે પ્રેમલગ્ન કરી અમારી ઈજ્જત ઉછાળી છે કહી ઝઘડો કરતા. ક્યારેક હાથ ચાલકી કરતા હતા. જેથી મહિલા હેલ્પલાઇનની મદદ લેતા ટીમ ત્યાં પહોંચી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે દીપાબેનના મોટા મમ્મીને સમજાવ્યા હતા કે તેઓ સાસરે ખુશ છે અને અત્યારે 8 મહિનાની પ્રેગ્નન્સી છે માટે માનસિક અને શારીરિક ત્રાસ આપવો જોઈએ નહીં. તમારે અફસોસ કરવાની જરૂર નથી. તેઓ ખુશ છે તો ઘરે આવી ધમાલ ન કરવી જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments