Webdunia - Bharat's app for daily news and videos

Install App

પત્ર લેખન દ્વારા રુ. 5000 થી 50,000 જીતવાની તક

Webdunia
મંગળવાર, 3 જુલાઈ 2018 (13:09 IST)
અમદાવાદ, ભારતીય ટપાલ વિભાગ દ્વારા “ઢાઈ આખર અખિલ ભારતીય પત્ર લેખન પ્રતિયોગિતા”નું આયોજન કરવામાં આવેલ છે. જેનો વિષય “મારી માતૃભૂમિને પત્ર” કે જે રવિન્દ્રનાથ ટાગોરની “”અમાર દેશર માટી” કૃતિ પરથી પ્રેરિત છે.

પત્ર અંગ્રેજી/હિન્દી/ગુજરાતીમાં ચીફ પોસ્ટમાસ્ટર જનરલને સરનામે લખી શકાશે. આ પત્ર એ-4 સાઈઝના કાગળ (વધુમાં વધુ 1000 શબ્દો) અથવા આંતરદેશીય કાર્ડ (વધુમાં વધુ 500 શબ્દો)માં લખી શકાશે. એ-4, સાઈઝના કાગળને ‘એમબોસ્ડ કવરમાં નાંખી પોસ્ટ કરવાના રહેશે.’

આ પત્રો “શ્રી ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ-380001.”ના સરનામે તારીખ 30/09/2018 સુધીમાં પહોંચી જાય તે રીતે મોકલવાના રહેશે. જે માટે શહેરમાં નક્કી કરેલ પોસ્ટ ઓફિસમાં (નવરંગપુરા, રેવડી બજાર, મણિનગર, માણેકબાગ અને ગાંધી આશ્રમ) મુકેલ ખાસ ટપાલ પેટીમાં પોસ્ટ કરવાના રહેશે. ગામડાંના લોકો પોતાના ગામની શાખા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરી શકે છે.

આ સ્પર્ધા બે કેટેગરીમાં ((1) 18 વર્ષ સુધીની ઉંમર માટે (2) 18 વર્ષથી ઉપરની ઉંમર માટે) રાખેલ છે. સ્પર્ધકોએ પત્રમાં લખવું કે, “હું પ્રમાણિત કરું છું કે હું 18 વર્ષ થી નીચે / ઉપર છું.”.

રાજ્ય સ્તર પર સર્વશ્રેષ્ઠ ત્રણ સ્પર્ધકોને અનુક્રમે રૂપિયા 25,000/-”, રૂપિયા 10.000/- અને રૂપિયા 5,000/- પુરસ્કાર આપવામાં આવશે તથા રાષ્ટ્રીય સ્તર પર સર્વશ્રેષ્ઠ ત્રણ સ્પર્ધકોને અનુક્રમે રૂપિયા 50,000/-, રૂપિયા 25,000/- અને રૂપિયા 10,000/-  પુરસ્કાર આપવામાં આવશે.

વધુ વિગતો વિભાગની વેબસાઈટ https://www.indiapost.gov.in પર જાણી શકાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments