Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં વરસાદને કારણે 168 જેટલા રસ્તા બંધ, 134 ગામોમાં વીજ પુરવઠો ઠપ

Webdunia
મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (12:08 IST)
ગુજરાતમાં મેઘમહેરને બદલે મેઘકહેર થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠાને અસર પહોંચી છે. તો માર્ગ અને વાહનવ્યવહારને પણ અસર પહોંચી છે. ગુજરાતમાં 7 સ્ટેટ હાઈવે સહિતનાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વરસાદના પગલે રાજ્યના 134 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.ગુજરાતમાં ભારે વરસાદની અસર વીજ પુરવઠા પર થઈ છે. રાજ્યના 134 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે. સૌથી વધુ કચ્છ જિલ્લાના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તો દેવભૂમિ દ્ગારકાના ગામોમાં પણ વીજ પુરવઠાને અસર થઈ છે.રાજ્યમાં વરસાદ-પૂરનાં કારણે રોડ-રસ્તાને પણ અસર પહોંચી છે. રાજ્યના 168 રોડ-રસ્તાં હજુ પણ બંધ હાલતમાં છે. 7 સ્ટેટ હાઈવે, 148 પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. સૌથી વધુ કચ્છ જિલ્લાના 4 સ્ટેટ હાઈવે બંધ છે. આણંદ, છોટાઉદેપુર, સુરતમાં 1-1 હાઈવે બંધ હાલતમાં છે. નર્મદા જિલ્લામાં સૌથી વધુ પંચાયત હસ્તકના 13 રોડ બંધ છે.અમદાવાદ જિલ્લાના 14, ખેડામાં 4, સાબરકાંઠાનો 1 રોડ બંધ છે. અરવલ્લીમાં 1, આણંદમાં 2, વડોદરામાં 28 રોડ બંધ છે. છોટાઉદેપુરમાં 10, દાહોદમાં 8, સુરતમાં 10 રોડ બંધ છે. તાપીમાં 9, નવસારીમાં 2, ડાંગમાં 1 રોડ બંધ છે. મોરબીમાં 11, સુરેન્દ્રનગરમાં 12 રોડ- રસ્તા બંધ હાલતમાં છે.રાજ્યમાં રોડ વ્યવહાર ખોરવાતાં એસ.ટી.ની સેવાને પણ માઠી અસર થઈ છે. સમગ્ર રાજ્યમાં 59 રૂટ હાલ બંધ રાખવામાં આવ્યા છે. હાલ તો 305 ટ્રીપ રદ કરાઈ જેના કારણે નિગમને 2,48,019 રૂપિયાનું નુકસાન થયું છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments