Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 જેલોમાં 15000 કેદીને કોરોનાના કહેરથી બચાવવા પ્રતિબંધો અમલી કરાયા

Webdunia
શનિવાર, 21 માર્ચ 2020 (15:19 IST)
‘કોરોના’ના સેકન્ડ સ્ટેજથી થર્ડ સ્ટેજ તરફ પ્રયાણ સમયે ગુજરાતની 25 જેલોમાં રહેલા 15000 કેદીઓને આ રોગચાળાથી બચાવવા માટે જેલતંત્રએ પણ આવશ્યક પ્રતિબંધો મુક્યા છે. રાજ્યની જેલોના વડા ડો. કે.એલ.એન. રાવે આજે પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી કે, જેલમાં કેદીઓની તેમના સ્વજનો સાથે રૂબરૂ મુલાકાત, કેદીઓને ઘરના ટિફિન ઉપરાંત કોર્ટમાં રૂબરૂ હાજરી આપવામાં ‘કાપ’ મુકાયો છે. કેદીઓને કોર્ટમાં રજૂ કરવા અને સ્વજનો સાથે મુલાકાત માટે ‘વિડિયો કોન્ફરન્સ’ની આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યની 25 જેલ, સબ-જેલમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજ્યની તમામ જેલમાં રહેલા અંદાજે 25000 કેદીમાંથી એકપણ અત્યાર સુધી કોરોના અસરગ્રસ્ત જણાયાં નથી. છતાં, જરૂરિયાત જણાય તો સાબરમતી જેલ ખાતે ‘કોરોના આઈસોલેશન વોર્ડ’ તૈયાર કરવામાં આવ્યો છે. તમામ જેલોમાં કેદીઓની આરોગ્ય જાળવણી માટે તબીબી ટીમો, આવશ્યક સ્વચ્છતા ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોની મદદ લેવામાં આવી રહી છે. અમદાવાદ સહીત રાજ્યની જેલમાં નવા પ્રવેશતા પ્રત્યેક કેદીનું સૌ પ્રથમ સ્કેનિંગ કરી શરીરનું તાપમાન ચકાસવામાં આવે છે. જેલોમાં કુલ ૯૩ જેટલા ડોકટરનો સ્ટાફ છે અને જેલમાં સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. કેદીઓ તથા જેલ સિપાહીઓને પણ માસ્ક આપવામાં આવ્યા છે. જેલ સ્ટાફનું પણ સ્કેનીંગ કરવામાં આવે છે.  25 જેલોમાં રહેલા કેદીને રોગથી બચાવવા ૩૩ અદાલતોમાં વિડીઓ કોન્ફરન્સથી રજુ કરવામાં આવે છે. જેલમાં કેદીઓની સ્વજનો સાથે વિડીઓ કોન્ફરેન્સ અથવા અતિ જરૂરી હોય તો ઓછામાં ઓછું ૩ ફૂટનું અંતર રાખીને મુલાકાત કરાવવામાં આવે છે. કેદીઓને જેલમાં બનાવેલ ભોજન જ આપવાનું શરૂ કરી ઘરનું ટીફિન બંધ કરાયું છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments