Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના 3 IPS અધિકારીઓની બદલી, મહેસાણા એસપીની દાહોદ ખાતે બદલી

Webdunia
બુધવાર, 27 મે 2020 (15:29 IST)
મહેસાણા એસપી મનિષસિંહની દાહોદ સીઆરપીએફ ગૃપ ખાતે બદલી કરીને પોરબંદરના એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલને મહેસાણામાં મૂકવામાં આવતાં આ બદલી કરવામાં આવતાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કડી પોલીસ સ્ટેશનના કર્મીઓ સામે દારૂના વેચાણ મામલે ગુનો નોંધાયા બાદ બદલી કરવામાં આવતાં ના ખુલાસા સામે આવી શકે છે. મહેસાણા એલસીબી પીઆઈ એસ.એસ.નિનામાની પણ જૂનાગઢ ખાતે બદલી કરાતાં દારૂ પ્રકરણ અનેક પોલીસ કર્મચારીઓનો ભોગ લે તેવી સંભાવના છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં પીઆઇ અને પીએસઆઇની આંતરિક બદલીઓનો દોર રાજ્ય સરકારે શરૂ કરી દીધો છે. એસ.બી.મોડિયાની કડીમાં પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. બેચરાજી પીઆઇ જી.એસ.પટેલની એસઓજીમાં બદલી કરવામાં આવી છે. જે.ડી.પંડ્યાની ઈન્ચાર્જ પીએસઆઇ તરીકે બદલી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં પીઆઇ અને પીએસઆઇની આંતરિક બદલીઓનો દોર રાજ્ય સરકારે શરૂ કરી દીધો છે. એસ.બી.મોડિયાની કડીમાં પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. બેચરાજી પીઆઇ જી.એસ.પટેલની એસઓજીમાં બદલી કરાઈ છે. જે.ડી.પંડ્યાની ઈન્ચાર્જ પીએસઆઇ તરીકે બદલી કરાઈ છે.
 
તાજેતરમાં જ કડી પોલીસ સ્ટેશનનાં પીઆઈ, 2 પીએસઆઈ અને 6 પોલીસ કર્મચારીઓ સામે વિદેશી દારૂના મુદ્દામાલના વેચાણ મામલે ગાંધીનગર એસપી દ્વારા તપાસ કરાયા બાદ ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ હજી શરૂ થઈ નથી તેવામાં મંગળવારે મોડી સાંજે મહેસાણા એસપી મનિષસિંહની દાહોદ SRPF ગૃપ ખાતે બદલી કરી દેવામાં આવી હતી. 
જ્યારે તેમની જગ્યાએ પોરબંદર એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત કડીના દારૂ વેચાણ પ્રકરણ મામલે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એસ.એસ.નિનામાની પણ જૂનાગઢ ટ્રેનીંગ સ્કુલ ખાતે બદલી કરાઇ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments