Webdunia - Bharat's app for daily news and videos

Install App

Loksabha 2019 - ગુજરાતમાં કોંગ્રેસે 2019ની લોકસભામાં 0 પરથી 13 સીટો સુધી પહોંચવાનુ મુક્યુ લક્ષ્ય

Webdunia
શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (14:58 IST)
તાજેતરમાં જ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના રાજકારણીય યુદ્ધ જીત્યા પછી કોંગ્રેસની નજર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાત પર છે.  લોકસભા ચૂંટણી 2019 માં કોંગ્રેસે રાજ્યની 26 લોકસભા સીટોમાંથી અડધી સીટો જીતવાનુ ટારગેટ ફિક્સ કર્યુ છે. જ્યારે કે 2014ના લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને આ ગઢમાં એક પણ સીટ મળી નહોતી   બધી સીટો પર ભાજપાએ જીત નોંધાવી હતી. 
 
ગુજરાતની 26 લોકસભા સીટોમાંથી કોંગ્રેસે મિશન-13 નો પ્લાન બનાવ્યો છે.  પાર્ટીએ આ સીટોની ઓળખ કરી લીધી છે. જ્યાથી તેને જીતની આશા છે. કોંગ્રેસે આ માટે જમીની સ્તર પર કામ કરવુ શરૂ કરી દીધુ છે. ગયા વર્ષે રાજ્યમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને જીતવામાં પરસેવો પડી ગયો હતો અને 100નો આંકડો પણ ન અડી શકી.  બીજી બાજુ કોંગ્રેસ બીજેપીથી માત્ર 9 સીટ પાછળ રહી ગઈ હતી. 
 
કોંગ્રેસ જે 13 લોકસભા સીટો પર નજાર બનાવી રહી છે એ છે ગુજરાતની આણંદ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટન, જૂનાગઢ, દાહોદ, બારડોલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભરૂચ અને મહેસાણા લોકસભા સીટ સામેલ છે. કોંગ્રેસે આ 13 સંસદીય સીટોની ઓળખ છેલ્લા બે વિધાનસભા ચૂંટણી અને બે લોકસભા ચૂંટણીના પરિણામોને ઝીણવટભર્યો અભ્યાસ કર્યા પછી કરવામાં આવી છે.  
 
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ ખૂબ સારા પરિણામો લાવવામાં સફળ રહી હતી. આ રણનીતિના હેઠળ લોકસભા ચૂંટણીમાં પણ ગ્રામીણ વિસ્તારની સીટો પર કોંગ્રેસે ફોક્સ કર્યુ છે.  ખેડૂત પાટીદાર દલિત અને ગ્રામીણ વિસ્તારના વોટરોને પોતાના સાથે જોડવા માટે પાર્ટી કાયદેસર રણનીતિ બનાવવામાં લાગી છે. 
 
કોંગ્રેસે લોકસભા સીટ હેઠળ આવનારા દરેક વિધાનસભા સીટ પર ગુજરાત કોંગ્રેસ કમિટીના એક સચિવની નિમણૂક કરી છે. 
 
 
આ સચિવને બૂથ સ્તર પર કાર્યકર્તા શોધ કરવા અને તેમને ટ્રેનિંગ આપીને લગાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. એટલુ જ નહી દરેક સક્રિય કાર્યકર્તાની ઓળખ કરવી અને તેમની મીટિંગ કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ યોજના હેઠળ એક વિધાનસભામા લગભગ 270 બૂથ પર મજબૂત કાર્યકર્તા લગાવવાના છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments