Webdunia - Bharat's app for daily news and videos

Install App

કર્ણાટકમાં લોકશાહીની હત્યા થઈ - કોંગ્રેસ પ્રમુખ ચાવડા

Webdunia
ગુરુવાર, 17 મે 2018 (15:11 IST)
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા આજે વલસાડની મુલાકાતે હતા. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ અમિત ચાવડા પ્રથમ વખત વલસાડ જિલ્લાની મુલાકાતે આવેલા ચાવડાએ કર્ણાટકમાં ચાલેલા હાઈપ્રોફાઈલ ડ્રામા પર પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કર્ણાટકમાં બેઠેલાં ગુજરાતી રાજ્યપાલ પર અમને પણ ગર્વ હતો જો કે, તેમણે સંવિધાનને નજરઅંદાજ કરીને જે નિર્યણ લીધો છે તે લોકશાહીની હત્યા બરાબર છે. અમિત ચાવડા વલસાડ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં હાજરી આપી હતી. આ પ્રસંગે અમિત ચાવડાએ કર્ણાટકમાં સર્જાયેલી રાજકીય પરિસ્થિતિ પર પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

અમિત ચાવડાએ કર્ણાટકમાં સર્જાયેલી પરિસ્થિતિને લઇ ભાજપ સહિત કર્ણાટકના ગુજરાતી રાજ્યપાલ વજુભાઈ વાળાને પણ આડે હાથ લીધા હતા. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે,કર્ણાટકની જનતાએ સૌથી વધુ વોટશેર કોંગ્રેસ અને તેના સાથી પક્ષને આપ્યો હતો. પરંતુ ભાજપે લોકશાહીનું ખૂન કર્યું છે.વધુમાં તેઓએ ગાંધી અને સરદારની ભૂમીથી ગયેલા કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળા પર પણ ભાજપના કાર્યકર્તાઓની જેમ વર્ત્યા હોવાનો અમિતચાવડા આક્ષેપ કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments