Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશના પ્રથમ રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો E-પ્રારંભ

Webdunia
બુધવાર, 13 જાન્યુઆરી 2021 (12:19 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જ્યંતિ ‘રાષ્ટ્રીય યુવા દિવસે’ રાજ્યના રોજગાર વાંચ્છુ યુવાઓ માટે રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો ગાંધીનગર ખાતેથી ઇ-પ્રારંભ કરાવ્યો હતો. દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો એક કોલ નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને રાજ્યના કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે.
 
રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્યમંત્રીએ ઓનલાઇન ભરતી મેળા પખવાડીયું (૧ર જાન્યુઆરીથી રપ જાન્યુઆરી)નો પણ પ્રારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજયમાં શ્રમ અને રોજગાર વિવિધ યોજનાઓનું લોકાપર્ણ કર્યું હતું.
 
આ ઇ-લોકાપર્ણ કાર્યક્રમમાં આણંદ ખાતેથી જિલ્લાજ કલેકટર આર. જી. ગોહિલ  સહિત જિલ્લાન રોજગાર અધિકારી આર.એલ.પરમાર, નોડલ ઓફીસર આઇ.ટી.આઇ. ,જુનિયર રોજગાર અધિકારી એફ.એ.પઠાણ, તથા આર.બી.સોલંકી, કેરીઅર કાઉન્સીલર( ઇમ્પેક્ષ) ચેતન મહેતા સહિત નોકરી દાતાઓ ઓનલાઇન જોડાયા હતા.
 
આ ઇ-લોકાપર્ણ થતાં રોજગાર વાંચ્છુ. ઉમેદવારોને પર્યાપ્તજ રોજગારીનો અવસર મળી રહે તે માટે  વર્ચ્ચુપઅલ/ ઓનલાઇન ભરતી મેળાઓનું પણ આયોજન થશે. રોજગાર વાંચ્છુચ ઉમેદવારો કોઇપણ સ્થનળેથી રોજગાર કચેરીઓનો ટેલીફોનીક સંપર્ક કરીને અભ્યારસલક્ષી તથા કારકિર્દીલક્ષી સચોટ અદ્યતન માર્ગદર્શન મેળવી શકે તે હેતુસર કોલ સેન્ટરરનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.
 
આ પ્રસંગે મુખ્યમ મંત્રી વિજય રૂપાણીએ અમારે મન યુવા એ ન્યૂ એઇજડ વોટર નહીં, પરંતુ ન્યૂ એઇજડ પાવર છે’’. યુવાઓની શક્તિ પર નવા ભારતનું નિર્માણ કરવું છે. એટલા માટે રાષ્ટ્રીય યુવા દિવસથી આ અભિયાનની શરૂઆત કરીને યુવા પેઢીને રોજગાર અવસરથી સજ્જ કરી તેનેએમ્પાવર્ડ-સશક્ત બનાવવાની દિશા લીધી હોવાનું જણાવ્યુંથ હતું. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું.આ ઇ-લોકપર્ણ કાર્યક્રમમાં જિલ્લાયઓના  રોજગાર અધિકારી, નોડલ આઇ.ટી.આઇ.ના આચાર્ય અને નોકરીદાતાઓ જોડાયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments