Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં

Webdunia
સોમવાર, 19 ઑગસ્ટ 2019 (13:43 IST)
ગુજરાતમાં ફરી એકવખત વિધાનસભાની ખાલી પડેલી સીટોને લઇને કોંગ્રેસ એક્શનમાં આવી છે અને અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈ કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ સીટ ન મળ્યા બાદ સિનિયર નેતાના ભરોસે હવે કોંગ્રેસ ફરી એક વખત એક્શનમાં આવી છે. 
કોંગ્રેસમાં હાલ પેટાચૂંટણીવાળી બેઠકોની જવાબદારી કોંગ્રેસના દિગ્ગજ સિનિયરોને સોંપવામાં આવી છે.

જેમાં અર્જૂન મોઢવાડિયાને રાધનપુરની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે બાયડની જવાબદારી મધુસુદન મિસ્ત્રીને સોંપાઈ છે. આ સિવાય લુણાવાડામાં ભરતસિંહ સોલંકી, મોરવા હડફમાં તુષાર ચૌધરી, ખેરાલુમાં જગદીશ ઠાકોર અને થરાદની જવાબદારી સિધ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે. આ સિવાય અમદાવાદમાં અમરાઈવાડીની જવાબદારી દીપક બાબરિયાને સોંપાઈ છે, જ્યારે દેવભૂમિ દ્ગારકાની પેટાચૂંટણી માટે સ્થાનિકોને તૈયાર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. કોંગ્રેસ તમામ જગ્યાએ સિનિયર લિડરો સાથે 5-5 ધારાસભ્યોની ટીમ કામ કરશે તેવી પણ જાહેરાત કરી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments