Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસું સત્ર 9 સપ્ટેમ્બરથી: પ્રથમ દિવસે દિવંગતોને શ્રદ્ધાંજલિ બાદ શરૂ થશે કામકાજ

gujarat vidhansabha
ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસું સત્રની સમયસૂચિમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા નવા આહ્વાન અનુસાર, આ 9મું સત્ર હવે 8 સપ્ટેમ્બરના બદલે 9, 10 અને 11 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ચાલશે. ગાંધીનગર ખાતે યોજાનારા આ ટૂંકા પરંતુ અત્યંત મહત્વપૂર્ણ સત્ર દરમિયાન રાજ્ય સરકારના નીતિવિષયક અને વહીવટી કામકાજ હાથ ધરવામાં આવશે. ત્રણેય દિવસ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે અને તેના પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ તેને પસાર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ALSO READ: સમાજસેવક અન્ના હજારેની તબિયત લથડી, મુંબઈની એક હોસ્પિટલમાં કરાયા દાખલ
 

વડાપ્રધાનના પ્રવાસને કારણે સત્રની તારીખોમાં ફેરફાર 

 
મળતી વિગતો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 8 સપ્ટેમ્બરના રોજ નક્કી થયેલા ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને વિધાનસભા સત્રના સમયપત્રકમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન વિવિધ રાજકીય તેમજ સરકારી કાર્યક્રમોનું આયોજન હોવાથી તથા રાજ્યના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ તે વ્યવસ્થામાં જોડાયેલા રહેવાના હોવાથી, સત્રનો પ્રારંભ 8 સપ્ટેમ્બરના બદલે 9 સપ્ટેમ્બરે રાખવામાં આવ્યો છે. નવી તારીખોની જાહેરાત સાથે જ વિધાનસભા સચિવાલય દ્વારા તમામ ધારાસભ્યો અને સંબંધિત વિભાગોને નવું શેડ્યૂલ મોકલી દેવાયું છે. 
 

પ્રથમ દિવસે દિવંગત નેતાઓને શોકદર્શક ઉલ્લેખ અને શ્રદ્ધાંજલિ

 
સત્રના પ્રારંભિક દિવસે કાયદાકીય કામકાજ અને અન્ય સંસદીય કાર્યવાહી શરૂ થાય તે પહેલાં ગૃહમાં નિયમાનુસાર શોકદર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે તાજેતરના સમયગાળા દરમિયાન અવસાન પામેલા રાજ્યના પૂર્વ ધારાસભ્યો, વર્તમાન સભ્યો અને મહાનુભાવોને સમગ્ર ગૃહ દ્વારા ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. વિરોધ પક્ષ અને શાસક પક્ષના નેતાઓ દ્વારા દિવંગત નેતાઓએ રાજ્યના વિકાસ અને પ્રજાકલ્યાણ માટે આપેલા અજોડ યોગદાનને યાદ કરવામાં આવશે. ત્યારબાદ તમામ સભ્યો દ્વારા ઉભા રહીને બે મિનિટનંા મૌન પાળી મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાશે, અને પછી જ ગૃહની દૈનિક કામગીરી આગળ વધશે. 

 

જમીન ટુકડા ધારા સુધારા સહિત મહત્વના વિધેયકો રજૂ થવાની શક્યતા 

 
ત્રણ દિવસના આ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિત અને જમીન-મહેસૂલ સંબંધિત સુધારાઓને આવરી લેતા અનેક મહત્વપૂર્ણ વિધેયકો ગૃહના ટેબલ પર મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. ખાસ કરીને, રાજ્યમાં ખેડૂતો અને જમીનમાલિકોને સ્પર્શતા 'જમીન ટુકડા ધારા સુધારા વિધેયક' સહિતના કેટલાક સુધારા બિલો રજૂ થવાની ચર્ચા છે. આ સિવાય સત્ર દરમિયાન ધારાસભ્યો માટે તારાંકિત પ્રશ્નોત્તરી કાળનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થા તેમજ વિકાસકામો મુદ્દે વિપક્ષી ધારાસભ્યો અને શાસક પક્ષ વચ્ચે ચર્ચા જોવા મળશે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સમાજસેવક અન્ના હજારેની તબિયત લથડી, મુંબઈની એક હોસ્પિટલમાં કરાયા દાખલ