Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ધમાલ, 500 કાર્યકર્તાઓ રાજીનામું આપી શકે છે

Webdunia
સોમવાર, 22 ઑક્ટોબર 2018 (16:45 IST)
અમદાવાદ કોંગ્રેસના 500 કાર્યકર્તાઓ આજે એકસાથે રાજીનામું આપવા જઈ રહ્યાં છે. ચાંદખેડાના કોંગી નેતાઓ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ થતા રોષે ભરાયા છે. આજે બપોરે 2 વાગ્યા બાદ પાલડી પાસે રાજીવગાંધી ભવનમાં મોટી સંખ્યામાં નારાજ કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તમામ કાર્યકર્તાઓ રાજીનામું આપીને ખેસ પણ ઉતારશે.મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ કોંગી નેતાઓ ચાંદખેડાથી રેલી કાઢશે. આ રેલી ચાંદખેડાથી નીકળી બપોરે 2 વાગ્યે કોંગ્રેસના કાર્યલય( રાજીવ ગાંધી ભવન) પહોંચશે. આ રેલીમાં જોડાયેલા કોંગી નેતાઓ રાજીવ ગાંધી ભવન ખાતે રાજીનામું આપશે તેમજ પહેરેલું ખેસ પણ ઉતારશે. ખેસ ઉતારવાની આ સૌ પ્રથમ ઘટના બનશે.સુત્રોના આધારે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ-કોંગ્રેસમાં પૂર્વતૈયારીઓ શરૂ થઈ ચુકી છે. પરંતું કોંગ્રેસના 500 કાર્યકર્તાઓના એકસાથે રાજીનામાંથી કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે તેમ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments