Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે વર્ષમાં ગ્રીનકવર 4.66 ટકાથી વધીને 10.13 ટકા થયું, 15 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક

Webdunia
શનિવાર, 5 જૂન 2021 (17:35 IST)
શહેરમાં ગ્રીનકવર વધારવા ધરાયેલા પ્રયાસોથી 2021-22માં 13.40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. તેમાં પણ શહેરમાં અત્યારે 14 લાખથી વધારે વૃક્ષો હયાત છે. છેલ્લા 2 વર્ષમાં શહેરનું ગ્રીનકવર 4.66 ટકાથી વધીને 10.13 ટકા પર પહોંચ્યું છે. 2012માં જ્યાં શહેરમાં હાથ ધરાયેલા ટ્રી સેન્સસ પ્રમાણે શહેરના ભૌગોલિક વિસ્તારના માંડ 4.66 ટકા જેટલું ગ્રીન કવર હતું. તેને ધ્યાને લઇ મ્યુનિ.એ મિશન મિલિયન ટ્રી હેઠળ આ ગ્રીન કવર 15 ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે. શહેરમાં છેલ્લા બે વર્ષમાં વૃક્ષારોપણ બાદ સરેરાશ 65 ટકા જેટલા વૃક્ષ જીવંત રહે છે. તેને કારણે શહેરમાં 6 ટકા જેટલું ગ્રીનકવર વધ્યું છે.

શહેરમાં અત્યારે 283 બગીચાઓ છે. જેમાં ગયા વર્ષે 14 નવા બગીચા બનાવ્યા હતા. ચાલુ વર્ષે 17 નવા બગીચા બનશે. શહેરમાં 42 જેટલા અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયા છે, જેમાં ચાલુ વર્ષે બીજા 10 નવા અર્બન ફોરેસ્ટ બનાવાશે. મિયાવાકી પદ્ધતિથી 10 પ્લોટમાં વૃક્ષારોપણ થશે. ગોતા વોર્ડમાં સ્મૃતિવન બનાવાશે, જ્યાં વડ, પીપળો, લીમડો, સહિતના વૃક્ષો વવાશે. જેમા 40 હજાર જેટલાં વૃક્ષો ઉગાડાશે. તેમજ વોક-વે, કસરતના સાધનો, વનકુટિર જેવા આકર્ષણ ઊભાં કરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

આગળનો લેખ
Show comments