Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ ATM કાર્ડ કોઇને ન આપતાં નહીં તો ઉપડી જશે પૈસા, બે આરોપીની ધરપકડ

Webdunia
શનિવાર, 3 ઑગસ્ટ 2019 (10:23 IST)
ATM કાર્ડ કોઇને ન આપતાં નહીં તો ઉપડી જશે પૈસા, બે આરોપીની ધરપકડ  એટીએમ ધારકો સાવધાન, તમારે માટે લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે. તમારુ એટીએમ ગમે ત્યારે સ્ક્રેન થઇ શકે છે અને લાખો રૂપિયા એટીએમના માધ્યમથી ઉપડી શકે છે. ભોળા માણસો અને અભણ માણસના એટીએમની સ્ક્રેન કરી હજારો રૂપિયાની ઉઠાતરી કરતી ટોળકી હાલ પોલીસ ઝડપી છે. અસલાલી પોલીસ સ્ટેશન અને હરિયાણા પોલીસના, સયુક્ત ઓપેરશનની મદદથી ટોળકીના બે સભ્ય હાલ પોલીસ લોકપમાં પહોચી ગયા છે.
 
અસલાલી પોલીસે સોશિયલ મીડિયાના ગૃપની મદદથી ગુન્હાનો ઉકેલ કર્યો છે. અન્ય રાજ્યના પોલીસ સોશિયલ મીડિયા ગૃપમાં આરોપીના સીસીટીવીના આધારે ફોટા તૈયાર કરી, ગૃપમાં ફોરવર્ડ કર્યા હતા. જે અનુસધાને હરિયાણા પોલીસે આ ગુન્હેગારોની ઓળખ કરી અસલાલી પોલીસને આરોપી અંગે માહિતી આપી હતી.
 
 ગુજરાત સાથે વાત કરતા અમદાવાદ ગ્રામ્ય ડિવાયએસપી કે ટી કામરીયાએ જણાવ્યુ હતું કે આ ટોળકી ભોળા માણસને એટીએમમાં મદદ કરી ચાલાકીથી એટીએમ સ્ક્રેન કરી લેતા હતા. તેના માધ્યમથી અન્ય એટીએમમાથી પૈસા ઉપાડી લેતા હતા.
 
બન્ને આરોપીએ ચાંગોદર, પોરબંદર અને માધુપુરામાં પણ આ પ્રકારના ગુન્હા કરી લાખો રૂપિયા એટીએમની ઉપાડી લીધા છે. આરોપી માત્ર ત્રણ અને સાત ધોરણ પાસ છે. તેમ છતા ચાલાકીથી સામાન્ય માણસોને ભોળ પણનો લાભ લઇ લાખો રૂપિયા એટીએમથી ઉપાડતા હતા. 26 જૂલાઇએ ચાંગોદરમાં આ પ્રકારનો ગુન્હો બન્યો હતો જે અંગે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી.
 
પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી આ તમામ આરોપીના ફોટા તૈયાર કર્યા હતા અને ફોટા અન્ય રાજયના પોલીસ સોશિયલ ગૃપમાં ફોરવર્ડ કરાયા હતા. જેમાં હરિયાણા પોલીસે આ આરોપીની ઓળખ કરી હતી. જેથી હરિયાણાથી આ બે આરોપીની ધરપકડ કરી વધુ રિમાન્ડ માટે અહી લાવામાં આવ્યા છે. આમ ગુજરાત પોલીસે ચાંગોદર, પોરબંદર અને માધપુરાનો ગુન્હાનો ઉકેલ કર્યો છે. આરોપી પાસે હજુ પણ અન્ય ગુન્હા અંગે પૂછપરછ કરાશે. હાલ આરોપી પાસેથી 27 હજાર રુપિયા રોકડ જપ્ત કર્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments