Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ પોલીસનું જાહેરનામું પાંચ ફૂટથી ઊંચી પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ

Webdunia
સોમવાર, 26 ઑગસ્ટ 2019 (12:19 IST)
ગણેશોત્સવને હવે જ્યારે ગણતરીનાં દિવસ બાકી છે અને ઠેર ઠેર ગણેશજીની મૂર્તિઓ બનીને તૈયાર થઇ ગઇ છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા મહત્ત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામું ૧૨ સપ્ટેમ્બર ગણેશ વિસર્જન અંગે બાર પાડવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું પાડવામાં આવ્યુ હતુ જેમાં પીઓપીની ગણેશજીની મૂર્તિઓ બેઠક સાથે પાંચ ફૂટથી વધુ ઊંચી ન હોવી જોઇએ. અને માટીની મૂર્તિનું જ ભક્તએ સ્થાપન કરવાની સૂચના આપવામાં આવી હતી. અને માટી મૂર્તિ પણ નવ ફૂટથી ઊંચી ન હોવી જોઇએ. આ જાહેરનામાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવનાર અને વેપારીઓએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે હવે છેલ્લી ઘડીએ જાહેરનામું બહાર પાડે તો તેમણે શું કરવું, કારણ કે તેમનું આખા વર્ષનું ગુજરાન આ મૂર્તિઓની બનાવટ અને તેનાં વેચાણ પર જ ટકેલું હોય છે. ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ દ્વારા જાહેરનામું આપવા પાછળનું ખાસ કારણ એ છે કે, પીઓપી મૂર્તિઓ પાણીમાં ઝડપથી ઓગળતી નથી. તેમ જ પીઓપીની મૂર્તિ બનાવવામાં કેમિકલયુક્ત કલરનો ઉપયોગ થાય છે જેને કારણે પ્રદૂષણ ફેલાય છે. આ પહેલી વખત નથી આ પહેલાં પણ ઘણી વખત પીઓપીની મૂર્તિનો ઉપયોગ ન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવી ચુક્યું છે એટલું જ નહીં આ મુદ્દો પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments