Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી અંબાજીમાં યાત્રાળુઓને અંબિકા ભોજનાલયમાં નિ:શુલ્ક ભોજન અપાશે

Webdunia
સોમવાર, 22 જાન્યુઆરી 2024 (17:57 IST)
ગુજરાતમાં સ્થિત શક્તિપીઠ અંબાજીમાં હવે મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ માઈભક્તો ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકશે. તેની સાથે અન્ય સુવિધાઓમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. યાત્રાધામમાં પાર્કિગ, ભોજન, સ્વચ્છતા અને ડિજિટલ ટેકનોલોજી સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. જેમાં હવે નવિન પ્રકલ્પો કાર્યરત કરવામાં આવ્યાં છે.

ભારત સરકાર દ્વારા પણ યાત્રાધામમાં વિવિધ વિકાસકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાળુઓને હવે અંબાજી મંદિર ટ્રસ્ટના ભોજનાલયમાં નિ:શુલ્ક ભોજન મળશે. તે ઉપરાંત યાત્રાળુઓને અધ્યતન પાર્કિંગની સુવિધાઓ આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. હાલમાં યાત્રિકો પાસેથી ટોકન દર લઈ ભોજન આપવામાં આવે છે. આ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનું સંચાલન અને અન્ય સેવાકીય પ્રવૃતિઓ માટે ટ્રસ્ટની દેખરેખ હેઠળ એક કમિટિ બનાવાશે. આ કમિટિમાં સભ્યો તરીકે વિવિધ દાતાઓ, પદયાત્રિ સંઘના પ્રતિનિધિઓ, સેવા કેમ્પના પ્રતિનિધિ તથા ભાદરવી પુનમીયા સંઘના પ્રતિનિધિઓનો પણ દાતા તરીકે સમાવેશ કરવામાં આવશે.આ વ્યવસ્થા આગામી એક વર્ષ માટે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે. અંબાજી તીર્થધામમાં દાતાઓ એક થાળી માટે રૂપિયા 51નું દાન, દિવસમાં એક ટાઈમ ભોજન દાન માટે રૂપિયા 51 હજાર અને સમગ્ર દિવસ માટે રૂપિયા 1.11 લાખ દાન સ્વરૂપે અંબિકા ભોજનાલય, અંબાજી મંદિરની ટેમ્પલ ઈન્સપેકટર કચેરી ખાતે આપી શકશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments