Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી ગુજરાતના પ્રવાસે કેજરીવાલ અને ભગવંત માન, વડોદરામાં ત્રિરંગા યાત્રા, સુરતમાં કરશે જનસભા

Webdunia
શનિવાર, 8 ઑક્ટોબર 2022 (10:27 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ શનિવારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન શનિવારે બપોરે દાહોદ જિલ્લામાં નવજીવન કોલેજ કેમ્પસમાં એક વિશાળ જાહેર સભાને સંબોધશે. જાહેરસભા બાદ બંને નેતાઓ વડોદરામાં AAP દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં ભાગ લેશે.
 
રવિવારે બંને નેતાઓ વલસાડ જિલ્લાના ધરમપુર અને સુરતના કડોદરા ખાતે જાહેરસભાને સંબોધશે. AAPના રાષ્ટ્રીય મહાસચિવ મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે તેઓ સામાજિક નેતાઓને પણ મળશે અને આગામી ચૂંટણીની યોજનાઓ અંગે રાજ્યના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક પણ કરશે.
 
તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત ચૂંટણીને લઈને ખૂબ જ સક્રિય જોવા મળે છે અને તેઓ દર 10 દિવસમાં લગભગ એક વખત ગુજરાતની મુલાકાતે આવે છે. અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. બે દિવસ પહેલા કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપે મુખ્યમંત્રી કે કેન્દ્રીય મંત્રીની જવાબદારી લાદી છે. તેમણે તેને ભાજપનો ડર ગણાવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

PM નરેન્દ્ર મોદીને CM ભુપેન્દ્ર પટેલે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી

Happy Birthday PM- 800 કિલો બાજરીથી પીએમ મોદીની અદભૂત તસવીર, 13 વર્ષની બાળકીના નામે વર્લ્ડ રેકોર્ડ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

આગળનો લેખ
Show comments