Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં 800 માંથી માત્ર 111 હોસ્પિટલો પાસે છે ફાયર એનઓસી

Webdunia
શનિવાર, 28 નવેમ્બર 2020 (11:51 IST)
રાજકોટમાં કોરોના હોસ્પિટલમાં આગની દુર્ઘટના બાદ સુરત ફાયર વિભાગ હરકતમાં આવી ગયું છે. અમદાવાદ બાદ હવે રાજકોટના કોરોના હોસ્પિટલમાં આગની દુર્ઘટના બાદ સુરતના 800 હોસ્પિટલોનો સર્વે કરીને તેમને ફાયર વિભાગની નોટીસ ફટકારવામાં આવી છે. શહેરમાં માત્ર 111 હોસ્પિટલો પાસે જ ફાયર વિભાગની એનઓસી છે. 
 
રાજકોટના શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 કોરોના દર્દીઓના મોત થયા છે. આ ઘટના બાદ સુરત ફાયર વિભાગના ચીફ ઓફિસર બસંત પરીખે શુક્રવારે શહેરના તમામા ફાયર ઓફિસરો સાથે બેઠક કરી છે. આ બેઠકમાં સુરતની કેટલી હોસ્પિટલોમાં ફાયર વિભાગે સર્વે કર્યો, કેટલી હોસ્પિટલોમાં ફાયર વિભાગની એનઓસી છે તેની જાણકારી પ્રાપ્ત કરી. 
 
આ બેઠકમાં જાણવા મળ્યું કે સુરત શહેરમાં કાર્યરત 800 નાની હોસ્પિટલોમાંથી માત્ર 111 હોસ્પિટલોએ ફાયર વિભાગ પાસેથી એનઓસી પ્રાપ્ત કરી છે. જ્યારે અન્ય હોસ્પિટલોમાં ફાયર વિભાગની એનઓસી નથી. એટલા માટે જે હોસ્પિટલો પાસે ફાયર વિભાગની એનઓસી નથી તેમને નોટીસ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 
 
ફાયર વિભાગે એનઓસીનો સર્વે કર્યો ત્યારે ધ્યાનમાં આવ્યું કે હોસ્પિટલમાં એસીના કારણે પાવર લોડ વધુ હોય છે જેના લીધે પણ નોટીસ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં આગળના ગ્લાસનું એલિવેશન કરવામાં આવે છે. જેથી હવા પ્રકાશ રોકવા સાથે આગ જેવી દુર્ઘટનામાં એલિવેશન ખૂબ ખતરનાક સાબિત થાય છે. એવા એલિવેશન દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગે સંકલનમાં ફાયર વિભાગ દ્વારા વિશે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments