Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં 12 જેટલી પેઢીઓમાં 35 લાખની નકલી નોટો ઘુસાડી, 7 આરોપીઓની અટકાયત

Webdunia
શુક્રવાર, 20 જાન્યુઆરી 2023 (14:41 IST)
ગુજરાતમાં નકલી નોટો ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટમાં 12 જેટલી પેઢીઓમાં 35 લાખની નકલી નોટો ઘૂસડવાના આરોપમાં 7 લોકોની અટકાયત કરવામાં આવી છે.  આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરાવી બાદમાં જે તે સ્થળેથી અસલી નોટ મેળવતા હતા. જોકે 10થી 12 પેઢી મારફતે અંદાજીત 35 લાખ ઘુસાડ્યા હોવાની માહીતી સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેટલાક ઈસમો દ્વારા આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરાવવામાં આવતી હતી. ત્યાર બાદ તેઓ જે તે સ્થળેથી અસલી નોટ મેળવી લેતા હતા. જોકે પ્રાથમિક તપાસમાં 10થી 12 પેઢી મારફતે અંદાજીત 35 લાખ ઘુસાડ્યાની માહીતી સામે આવતા રાજકોટમાં આંગડિયા પેઢીઓમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની આશંકા પણ સેવાઇ રહી છે. આંગડિયા પેઢી દ્વારા નકલી નોટો જમા કરાવી અન્ય જગ્યાએથી અસલી નોટો મેળવી લેવાના કૌભાંડમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી ભરત નામના વ્યક્તિ સહિત કુલ 7ની અટકાયત કરવામાં આવી છે. જોકે પોલીસની પૂછપરછમાં હજી પણ અનેક ખુલાસા થઈ શકે છે. આ કૌભાંડના તાર સમગ્ર રાજ્યમાં ફેલાયા હોવાની પણ આશંકાઓ છે. રાજકોટમાં નકલી નોટો ઘુસાડવાનું કારસ્તાન ઝડપાયા બાદ પોલીસ પણ તપાસમાં લાગી છે. પોલીસે ઝડપાયેલા ઇસમોની વધુ પૂછપરછ કરવાની કવાયત શરૂ કરી છે. તો બીજી તરફ પ્રાથમિક તપાસમાં નકલી નોટ ઉના શહેર અથવા ઉના પંથકમાંથી આવ્યાની ચર્ચા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments