Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરીક્ષા જાહેર થઈ ગઈ/ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 19 થી 27 માર્ચથી લેવાશે,બીજા સત્રની પરીક્ષા નહીં લેવાય, 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7 થી 15 જૂન વચ્ચે લેવામાં આવશે

Webdunia
શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (18:54 IST)
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષાનું પ્લાનિંગ જાહેર કર્યું,9 અને 11 માં પ્રથમ પરીક્ષાના પરિણામમાંથી આંતરિક મુલ્યાંકનના ગુણ સ્કૂલોએ મુકવાના રહેશે.
70 ટકા અભ્યાસક્રમ અને નવા પ્રશ્નપત્ર ના પરિરૂપ ના આધારે પરીક્ષા લેવામાં આવશે.
કોરોનાના કારણે ઓફલાઇન શિક્ષણ બંધ હતું, હવે તબક્કાવાર શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ રહ્યું છે તયારે રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ પરીક્ષા નું પણ પ્લાનિંગ જાહેર કરી દીધું છે, જેમાં ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે અને વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15મી જૂન વચ્ચે યોજાશે
 
ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.9થી 12માં પ્રથમ પરીક્ષા અને ધો.9 અને 11માં વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જે મજુબ ધો.9થી12માં 19મી માર્ચથી પ્રથમ સત્ર પરીક્ષા શરૂ થશે અને 7 જુનથી ધો.9 અને 11માં વાર્ષિક પરીક્ષા લેવાશે. કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે 11 જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ 10-12ની અને ત્યારબાદ ધો.9 અને 11ની સ્કૂલો વિદ્યાર્થીઓની હાજરી સાથે રેગ્યુલર શરૂ કરી છે. હવે સ્કૂલોમાં જ વિદ્યાર્થીઓની હાજરી સાથે પરીક્ષાઓ પણ લેવાશે. ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે અને વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15મી જૂન વચ્ચે યોજાશે.
 
સ્કૂલોએ પોતાની રીતે પ્રથમ સત્ર અને વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે. બોર્ડ દ્વારા ધો.9 થી12માં 30 ટકા અભ્યાસક્રમ ઘટાડી દેવાયો છે ત્યારે સ્કૂલો બોર્ડ દ્વારા જાહેર કરાયેલા 70 ટકા અભ્યાસક્રમ મુજબ અને નવા પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ પરીક્ષા લેવાની રહેશે. ચાલુ શૈક્ષણિક વર્ષે બીજા સત્રની પરીક્ષા નહી લેવાય. આ વર્ષે બીજા સત્રની પરીક્ષા જ થનાર ન હોવાથી માત્ર પ્રથમ પરીક્ષાના પરિણામમાંથી આંતરિક મુલ્યાંકનના ગુણ સ્કૂલોએ મુકવાના રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments