Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળીનાં તહેવારો દરમ્યાન એસ.ટી.વિભાગ દ્વારા તા.૩૦ ઓક્ટોબર થી તા.૦૧ નવેમ્બર સુધી ૧૦૦ જેટલી ટ્રીપો દોડાવાશે

દિવાળીનાં તહેવારો દરમ્યાન એસ.ટી.વિભાગ દ્વારા તા.૩૦ ઓક્ટોબર થી તા.૦૧ નવેમ્બર સુધી ૧૦૦ જેટલી ટ્રીપો દોડાવાશે
, શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (08:36 IST)
આગામી દિવાળીનાં તહેવારો દરમ્યાન લોકો પોતાનાં વતન તરફ પ્રવાસ કરતાં હોય, મહત્તમ પ્રજા જાહેર પરિવહનનો લાભ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભાવનગર વિભાગ દ્વારા તા.૩૦-૧૦-૨૦૨૧ થી તા.૦૧-૧૧-૨૦૨૧ સુધી વિભાગનાં તમામ પાંચ ડેપો ખાતેથી ટ્રીપોનું આયોજન કરવામાં આવેલ છે. 
 
ભાવનગર જિલ્લાનાં મહત્તમ રત્ન કલાકારો સુરત તથા આસપાસનાં વિસ્તારમાં સ્થાયી થયેલ હોય તેઓને વતન પરત લાવવાં ભાવનગર વિભાગ દ્વારા કુલ ૧૦૦ બસો સુરત મોકલવામાં આવશે. જેમાં ભાવનગર ડેપોથી ૨૯ બસો, ગારીયાધાર ડેપોથી ૧૮ બસો, તળાજા ડેપોથી ૧૮ બસો, મહુવા ડેપોથી ૧૭ બસો અને પાલીતાણા ડેપોથી ૧૮ બસો દોડાવાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળી પર રાહત: રાત્રિ કરફ્યુંમાં રાહત, થિયેટર 100 ટકા, રેસ્ટોરેન્ટને 75% ક્ષમતા સાથે ખોલવાની છૂટ