Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના લીધે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઇને અસમંજસ

Webdunia
બુધવાર, 24 જૂન 2020 (12:28 IST)
કોરોના વાયરસના કારણે ડિસેમ્બરમાં આયોજિત પાલિકા પંચાયતની ચૂંટણી જ નહી પરંતુ તે પહેલાં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી પણ પેંડીગ રાખવામાં આવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હાલ 9 સીટ ખાલી છે. તેમાંથી 7 ક્ષેત્રોમાં વધુમાં વધુ 15 સપ્ટેમ્બર પહેલાં ચૂંટણી યોજાવવી જરૂરી છે હાલની સ્થિતિને જોતાં સમયસર ચૂંટણી થઇ શકશે નહી. 
 
એટલા માટે ચૂંટણીપંચ પણ અસમંજસની સ્થિતિમાં છે. દેવભૂમિક દ્વારકા અને મોરવા હડફ આ બંને વિસ્તારોમાં ધારાસભ્યોના ફોર્મ રદ થતાં આ બંને સીટો ખાલી પડી છે. સુપ્રીમ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના ત્રીજા ઉમેદવારને મદદ કરવાના બદલામાં 13 થી 16 માર્ચ દરમિયાન લિંબડી, ધારી, ડાંગ, ગઢડા આ ચાર ક્ષેત્રોમાંથી કોંગ્રેસની સીટ પરથી ચૂંટાયેલા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે.  
 
ત્યારબાદ તાજેતરમાં જ મોરબી કપરડા અને કરઝણ આ ત્રણેય વિસ્તારોમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજીનામા ધરી દેવામાં આવતાં આ સીટો ખાલી પડી છે. એક તરફ આ સાતેય બેઠક પર પેટાચૂંટણી કરવાની છે. 16 માર્હ્કના રોજ પહેલાં ચાર બેઠક થતાં તે છ મહિના એટલે કે 15 ડિસેમ્બર સુધી જનપ્રતિનિધિ મળવો જરૂરી છે. પરંતુ હાલની સ્થિતિને જોતાં 6 મહિનામાં ચૂંટણી યોજાવવી સંભવ નથી. 
 
ઓગષ્ટ મહિનામાં કોરોનાની પરિસ્થિતિને જોયા બાદ ચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવશે. બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી ઓક્ટોબર નવેમ્બર મહિનામાં યોજાવવાની છે. આ દરમિયાન આ ચૂંટણી યોજાઇ તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments