Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યની RTOમાં સવારે 6થી રાત્રે 9.20 સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાશે, લાઇસન્સના ટેસ્ટનો લાંબો વેઇટિંગ પિરિયડ ઘટાડવા નિર્ણય

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2021 (14:05 IST)
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જરૂરી ડ્રાઇવિંગ ટેસ્ટનો વેઇટિંગ પિરિયડ ઘટાડવા આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી સવારે 6 વાગ્યાથી રાતે 10.30 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાને કારણે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન રાત્રે 9.20 વાગ્યા સુધીમાં ટેસ્ટ પૂરો કરી દેવાશે. કોરોનાને કારણે મહાનગરોમાં ડ્રાઇવિંગ ટેસ્ટનો વેઇટિંગ પિરિયડ બે-અઢી મહિના લંબાવાયો છે. તાજેતરમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે કરેલી સમીક્ષામાં આ વિગતો બહાર આવતા વેઇટિંગ પિરિયડ ઘટાડવા ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરીનો સમય વધારી સાડા 16 કલાક કરવાનો નિર્ણય લેવાયો છે.

પરિપત્ર મુજબ અમદાવાદ, અમદાવાદ પૂર્વ, રાજકોટ, સુરત અને વડોદરાની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બે શિફ્ટમાં થશે. પ્રથમ શિફ્ટ સવારના 6થી બપોરે 2.15 સુધીની અને બીજી શિફ્ટ બપોરે 2.15થી રાતે 10.30 સુધીની રહેશે. સવારે 6 વાગ્યે વેરિફિકેશનની કામગીરી થશે અને 6.30 વાગ્યાથી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થશે. મહિલા અરજદારોની સલામતી માટે સુરક્ષા જવાન મુકાશે. સુભાષબ્રિજ આરટીઓમાં હાલ રોજ ટુવ્હીલરના 260 અને કારના 175 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે. તેમાં પણ 15 ટકા અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવી શક્તા નથી. જો કુલ ટેસ્ટની સંખ્યામાં 15 ટકા વધારો કરાય તો પણ 45થી વધુ ટેસ્ટ વધી શકે છે. અગાઉ એક દિવસમાં ટુવ્હીલર, કારના મળી કુલ 475 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાતા હતા. હાલ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ટુવ્હીલરના 13 ઓગસ્ટ અને કારમાં 1 સપ્ટેમ્બર પછી એપોઇન્ટમેન્ટના સ્લોટ મળે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments