Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ઓસરતાં રહેણાંક વિસ્તારોમાંથી મગર રેસ્ક્યુ કરાયાં

Webdunia
શનિવાર, 5 સપ્ટેમ્બર 2020 (12:29 IST)
વડોદરામાં મગર જેવા પ્રાણીના વસવાટ એવા વિશ્વામિત્રી નદીના પાણી ઓસરતાં જ રહેણાક વિસ્તારોમાં મગરો નીકળવાની ઘટનાઓ જોવા મળી રહી છે. શહેરની સામાજિક સંસ્થા દ્વારા ગુરુવારે રાત્રે માંજલપુર સ્થિત શ્રેયસ હાઈસ્કૂલ પાસે, કલાલી ગામ અને સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા પાસેથી 3 મગરોને રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપ્યા હતા.વડોદરાની વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ સંસ્થાના જણાવ્યા અનુસાર હાલ રોજના 5 થી 10 જેટલા મગર, અજગર અને સાપ નીકળવાના કોલ રહીશો દ્વારા મળી રહ્યા છે.શ્રેયસ સ્કૂલની સામે આવેલી વિશ્વજ્યોત સોસાયટી નજીકથી પસાર થતી વરસાદી કાંસમાં મગર દેખાયો હતો. જે એક કૂતરાનો શિકાર કરવા બહાર નીકળીને રસ્તા પર આવી ચડ્યો હતો. બીજી ઘટનામાં વિશ્વામિત્રી નદી પાસે આવેલા પરશુરામ ભઠ્ઠાના રણજિત નગરમાં બે ફૂટનો મગર રહેણાક વિસ્તારમાં આવી ગયો હતો. જ્યારે કલાલી પરમહંસ હોસ્પિટલ નજીક 5 ફૂટના મગરને રસ્તા પરથી રેસ્કયૂ કરાયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments