baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતની સજા માટે સરકાર તરફથી કોર્ટે દલીલો સાંભળી, આવતી કાલે બચાવપક્ષની દલીલો સાંભળશે

Court hears arguments from government for sentencing of 49 convicts in Ahmedabad blast case
, સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (15:43 IST)
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતની આજે સજાની સિવિલ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી. સરકાર તરફી વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટમાં આજની સુનાવણી પુરી થઈ હતી. હવે આવતી કાલે કોર્ટમાં બચાવ પક્ષના વકીલો દલીલો કરશે. 11 ફેબ્રુઆરીએ કોર્ટે આરોપીઓની રજુઆત સાંભળી હતી. જેથી આ કેસમાં આવતી કાલે બચાવ પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ સજા સંભળાવી શકે છે. દોષીતો સામે લાગેલી કલમો મુજબ મહત્તમ સજા, ફાંસીની સજા અને ઓછી સજા એટલે જનમટીપની સજા થઈ શકે છે.અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપી બંધ છે. તમામ આરોપીઓને વીડિયો-કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા હતા. બોમ્બબ્લાસ્ટ કેસની સુનાવણી દરમિયાન સાબરમતી જેલની બહાર શાંત માહોલ જોવા મળ્યો હતો. જેલની બહાર આરોપીઓનાં પરિવારજનો પણ જોવા નહોતાં મળ્યાં. જેલમાં જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. દોષિત આરોપીઓમાંથી 32 આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. સજાની સુનાવણી અગાઉ આરોપીઓના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોને સુધારાનો અવકાશ છે. એ માટે ઋષિ વાલ્મીકિનો પણ ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે કે આરોપીઓને સુધરવાની એક તક આપવી જોઇએ, કેમ કે તેઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેથી એ અંગેની વિગતો તેમની પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા 3 સપ્તાહની માગ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જૂનાગઢમાં બુલેટ પર રિવોલ્વર કાઢી શખ્સે રોફ માર્યો, વીડિયો વાયરલ થતા પોલીસે ધરપકડ કરી