Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાના નવા 92 કેસ, આંકડો 1021 પર પહોંચ્યો

Webdunia
શુક્રવાર, 17 એપ્રિલ 2020 (12:46 IST)
છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 92 કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા શુક્રવારે 1021 થઇ ગઇ છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું આ નવા કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 45, સુરતમાં 14, વદોદરા 8, આણંદ 1, ભરૂચ 8, બોટાદ 3, છોટાઉદેપુર 1, ખેડા 1, મહિસાગર 1, નર્મદા 5, પંચમહાલ 2, પાટણ 1 કેસ પોઝિટિવ આવ્યા છે. 
જયંતિ રવિએ જણાવ્યું હતું કે આજે 2 લોકોના મોત થતાં રાજ્યમાં મૃત્યું આંક 38 પર પહોંચી ગયો છે, જ્યાર એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. જયંતિ રવિના જણાવ્યા અનુસાર નવા કેસ અમદાવાદના કાલુપુર, ખમાસા, રાયખડ, વટવા, ચાંદખેડા, વેજલપુર, દરિયાપુર, ખાનપુર અને નિકોલમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં સરથાણા રાંદેર વરાછા અને ઉધના, જ્યારે વડોદરામાં નાગરવાડા અને સલાતવાડા, ખેડામાં નડિયાદમાં ,જ્યારે આણંદના ઉમરેઠમાં કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. 
આ પહેલાં ગુરૂવારે 16 એપ્રિલે રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ કોરોના વાયરસના 163 કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં જ માત્ર ગુજરાતના કુલ કેસોના 50 ટકાથી વધુ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં  11 એપ્રિલે કોરોના વાયરસના કુલ 468 કેસ હતા, તો માત્ર 5 દિવસ એટલે કે 16 એપ્રિલ સુધીમાં તો આ સંખ્યા બમણી થઈ ગઈ છે. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદની સ્થિતિ વધુ ખરાબ છે. અહીં છેલ્લા કેટલાક દિવસથી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ માટે તંત્રએ હોટસ્પોટ વિસ્તારમાં સઘન ચેકિંગ અને ટેસ્ટીંગ હાથ ધર્યું છે તો આ વિસ્તારમાં કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments