Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના-લોકડાઉન ઇફેક્ટ : ગુજરાત સરકારની આવકમાં રૂ. 4 હજાર કરોડનું ગાબડું

Webdunia
શનિવાર, 28 માર્ચ 2020 (13:56 IST)
કોરોના સંકટના કારણે સરકારને રૂા. 3000 કરોડથી રૂા. 4000 કરોડની આવકની નુકસાની થઇ છે. હાલ લોક ડાઉનના કારણે મેન્યુફેકચરીંગ અને સર્વિસ સેક્ટર શટડાઉન હોવાના કારણે તેમજ ઇલેક્ટ્રીસીટી ડ્યુટી અને રિયલ એસ્ટેટમાંથી પણ આવક બંધ થવાને કારણે જીએસટીની આવક ઘટી છે. આ ઉપરાંત મોટર વ્હીકલ્સ તેમજ ઉદ્યોગો પાસેથી ઇલેક્ટ્રીસિટીની વસૂલાતની રકમ બંધ થઇ છે. આમ રાજ્ય સરકારે હાલ કુલ મળી રૂા. 3000 કરોડથી 4000 કરોડની આવકની નુકસાની ભોગવવી પડી છે. જ્યારે ખુદ કેન્દ્ર સરકાર જ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટની મદદ પણ સહાયરુપ થવાની શક્યતા નથી. અધિકૃત વર્તુળોના જણાવ્યા અનુસાર લોકડાઉનના કારણે રાજ્ય સરકારને આગામી સમયમાં પણ આર્થિક નુકસાન કરી શકે છે. રાજ્ય સરકારે જાહેર કરેલા બજેટમાંથી વધુ નાણાં ફાળવવા પડશે. લોકડાઉન સમાપ્ત થઇ ગયા બાદ વધારાના સ્ત્રોતમાંથી નાણાંની ફાળવણી કરવી પડશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments