Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના આટલા બધા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં

Webdunia
મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (18:04 IST)
ગુજરાત ભાજપ પક્ષ કોરોનાનું કેન્દ્ર જેવું બની રહ્યું છે. વધુ ને વધુ ભાજપના નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે આજે વધુ બે નેતાઓ કોરોના  ના શિકાર બન્યા છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા કોરોના સંક્રમિત થયા છે. જેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો ભાજપના અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. હસમુખ પટેલે ગઈકાલે કોવિડ વિજય રથના લોન્ચિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારે હસમુખ પટેલ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, ભાજપના ચોથા સાંસદ કોરોના સંક્રમિત બન્યા છે. તો બીજી તરફ, ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ કોરોના કેન્દ્ર જેવું બની રહ્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કાર્યાલય કમલમમાં જ કોરોનાના કેસ આવવા લાગતા અંતે ભાજપ પ્રમુખ દ્વારા કાર્યકરોને કામ સિવાય કમલમ ન આવવાની સૂચના આપવામાં આવી છે, અને કમલમમાં આવતા મંત્રીઓ વેબકેમથી કાર્યકરોની રજુઆત અને ફરિયાદો સાંભળી રહ્યા છે. હવે ભાજપના કાર્યાલય ખાતે 4 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા મંત્રીએ બેસવાનું ટાળ્યું છે. કોરોનાને કારણે મહેસુલમંત્રી કૌશિક પટેલે અરજદારોને વેબ કેમરાના માધ્યમથી સાંભળ્યા હતા. 20 જેટલા અરજદારો આજે વેબ કેમરાના માધ્યમથી સાંભળીને અરજી નિકાલ માટે કાર્યવાહી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, કમલમમાં મંત્રીઓને બેસવા આજે ત્રીજું સપ્તાહ છે. દર સોમવારે મહેસુલ મંત્રી કૈશિક પટેલ અને મંગળવારે રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર બેસવાનો નિણર્ય લેવાયો છે. ત્યારે કાર્યકરોના પ્રશ્નો નિકાલ માટે ભાજપમાં સોમવાર અને મંગળવારે અરજદારો રજૂઆત સાંભળવા મંત્રીઓ બેસે છે. ભાજપ કાર્યાલય કમલમમાં કોરોનાનો પગપેસારો મોટાપાયે જોવા મળ્યો છે. કાર્યાલય મંત્રી પરેશ પટેલ ઉર્ફે મામા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ તેમના પત્ની અને પુત્ર પણ કોરોના પોઝિટિવ બન્યા છે. ભાજપ કાર્યાલયમાં તાજેતરમાં પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેને પગલે સંક્રમણ વધ્યું હોય તેવી શક્યતા છે. તો બીજી તરફ, સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનો કેસ આવતા તકેદારી રાખવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીની ઓફિસ બહાર સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. રજૂઆત માટે આવતા મુલાકાતીઓનું તાપમાન માપ્યા બાદ બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ભાર મૂકાયો છે. એક બેન્ચ પર બે જ વ્યક્તિ બેસવા સૂચના અપાઈ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments