Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ શહેરમાં છ દિવસમાં કોરોના વાયરસના એક હજારથી વધુ કેસ

Webdunia
બુધવાર, 29 એપ્રિલ 2020 (16:07 IST)
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને આજે વધુ ૧૬૪ કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ૬દિવસમાં કોરોનાના કુલ કેસનો આંક ૧૦૦૫ થઇ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોપેશન દ્વારા જારી વિગત પ્રમાણે અમદાવાદ શહેરમાં મંગળવારે બપોરે ૨ કલાક સુધી કુલ ૨૩૬૪ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી ૨૦૧૬ કેસ એક્ટિવ છે અને ૧૦૭ના મૃત્યુ થયા છે. અલબત્ત, આ ૨૩૬૪ પૈકી અંદાજે ૪૩ ટકા કેસ છેલ્લા ૬ દિવસ દરમિયાન જ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.અમદાવાદ શહેરમાં ૩૧ માર્ચ સુધી કોરોનાના કુલ ૩૧ કેસ હતા. એપ્રિલના ૨૮ દિવસમાં ૨૩૩૩ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં મંગળવારે બપોર સુધીની સ્થિતિ પ્રમાણે કુલ ૨૩૭૦૨ ટેસ્ટ કરાયા છે અને ૨૪૧ દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત ૧૨૨૨૭ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે. અમદાવાદ શહેરના સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ૯૧૧, સાઉથ ઝોનમાં ૫૪૪. નોર્થ ઝોનમાં ૧૭૬, વેસ્ટ ઝોનમાં ૧૭૧, ઇસ્ટ ઝોનમાં ૧૨૬, સાઉથ વેસ્ટ ઝોનમાં ૫૩ જ્યારે નોર્થ વેસ્ટ ઝોનમાં ૩૫ કેસ નોંધાઇ ચૂક્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments