Publish Date: Mon, 27 Apr 2020 (11:28 IST)
Updated Date: Mon, 27 Apr 2020 (11:30 IST)
રવિવારે ગુજરાતમાં કોવિડ -19 ના 230 નવા કેસ નોંધાયા બાદ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોના વાયરસથી 3,301 લોકોને ચેપ લાગ્યો છે. તે જ સમયે, રાજ્યમાં આજે ચેપને કારણે વધુ 18 લોકોનાં મોત નીપજ્યાં છે, જેની સાથે મૃત્યુઆંક વધીને 151 પર પહોંચી ગયો છે.
આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આજે નોંધાયેલા 230 નવા કેસોમાંથી 178 એકલા અમદાવાદના છે. શહેરમાં અત્યાર સુધીમાં 2,181 ચેપની પુષ્ટિ થઈ છે. અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં આજે ચેપને કારણે 18 લોકોનાં મોત નીપજ્યાં છે, તમામ મૃત્યુ અમદાવાદમાં થયા છે. જિલ્લામાં કોવિડ -19 ને કારણે અત્યાર સુધીમાં 104 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું કે 18 માંથી 10 લોકો અન્ય રોગોથી પણ પીડિત છે.
આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવાય સુરતમાં 10, આણંદમાં આઠ, ગાંધીનગરમાં બે, રાજકોટ અને વડોદરામાં ચાર, બનાસકાંઠા, ખેડા, નવસારી અને પાટણમાં એક-એક કેસ નોંધાયા છે. . રવિવારે ચેપ મુક્ત બન્યા બાદ 31 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 313 દર્દીઓ ચેપ મુક્ત બન્યા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં 2,831 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાંથી 27 વેન્ટિલેટર પર છે.