Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાને કેસમાં સતત ત્રીજા દિવસે 14 હજારને પાર, 173 લોકોના મોત

Webdunia
શુક્રવાર, 30 એપ્રિલ 2021 (20:39 IST)
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે 14,605 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 10,180 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 4,18,548 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 73.72 ટકાએ પહોંચ્યો છે. 
 
અત્યાર સુધીમાં કુલ 96,94,767 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 23,92,499 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,20,87,266 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 53,216 લોકોને પ્રથમ ડોઝ અને 94,377 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 14,605 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 10,180 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને 73.72 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4,18,548 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1,42,046 એક્ટિવ કેસ છે. જ્યારે 613 લોકો વેન્ટિલેટર પર છે. 1,41,433 લોકો સ્ટેબલ છે. 4,18,548 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 7,183 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 173 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
અમદાવાદ કોર્પોરેશન 23, સુરત કોર્પોરેશન 16, રાજકોટ કોર્પોરેશન 14, વડોદરા કોર્પોરેશન 11, જામનગર કોર્પોરેશન 9, અને જૂનાગઢ કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 5, અને ગાંધીનગર કોર્પોરેશન 2, મહેસાણા 3, જામનગર 8, સુરત 7, દાહોદ 3, વડોદરા 6, બનાસકાંઠા 1, પાટણ 2, ભાવનગર 5, સુરેંદ્રનગર 7, અમરેલી 2, ગાંધીનગર 2, સાબરકાંઠા 9, કચ્છ 5, જુનાગઢ 5, ભરૂચ 2, મહિસાગર 2, વલસાડ 4, અરવલ્લી 2, પંચમહાલ 2, મોરબી 3, છોટાઉદેપુર 1, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકા 2, રાજકોટ 3 અને બોટાદ 3 એમ કુલ 173 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments