Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીજીની વાતને માનીને કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએઃ વજુભાઈ વાળા

Webdunia
શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (15:23 IST)
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. ગુજરાતમાં મળેલી જીતથી હવે ભાજપે લોકસભાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યપાલને ઔપચારિક રાજીનામું આપીને નવી સરકાર રચવાનો દાવો કર્યો છે. હવે 12મી ડિસેમ્બરે ગુજરાતમાં ભાજપની નવી સરકાર શપથ લેશે. આ દરમિયાન રાજકોટમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, હવે ગાંધીજીની આ કોંગ્રેસનું વિસર્જન કરી નાંખવું જોઈએ. 
 
કોંગ્રેસનો એક પણ કાર્યકર લોકો માટે સક્રિય નથી
તેમણે રાજકોટમાં પત્રકારોને જણાવ્યું હતું કે, આ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી છે. જેના કારણે ભાજપને આ જીત મળી છે. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસની લોકોની વચ્ચે જઈને કોઈ કામગીરી દેખાતી જ નથી. ચૂંટણી આવે એટલે કોંગ્રેસ લોકોની વચ્ચે આવે છે. કોંગ્રેસનો એક પણ કાર્યકર લોકો માટે સક્રિય નથી. જેથી મારે કોંગ્રેસને કોઈ સલાહ આપવી ના જોઈએ. 
 
હવે કોંગ્રેસનું વિસર્જન કરી નાંખવું જોઈએ
તેમણે ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીની વાત માનીને હવે કોંગ્રેસનું વિસર્જન કરી નાંખવું જોઈએ. ભાજપની વિચારધારા અને નીતિ સૌ જાણે જ છે. પાયાનો કાર્યકર લોકોની વચ્ચે જઈને કામ કરતો હોય છે. પાર્ટી પણ જે સક્રિય થઈને કામ કરે છે તેને મોકો જરૂર આપે છે. પાર્ટીની વિચારધારા અને નીતિઓને આધિન ભાજપનો કાર્યકર કામગીરી કરતો હોય છે. જ્યારે કોંગ્રેસનો એક પણ કાર્યકર લોકોની વચ્ચે જઈને કંઈ કરતો નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

Arvind Kejriwal Resignation updates- કોણ બનશે દિલ્હીના નવા સીએમ? કેજરીવાલનું આજે રાજીનામું, રેસમાં આ નામો

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટી ચાલી રહી હતી... કેક કાપતા પહેલા જ માતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું

આગળનો લેખ
Show comments