Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના સંકટમોચક કહેવાતા શિક્ષણમંત્રી ચુડાસમાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

Webdunia
મંગળવાર, 13 નવેમ્બર 2018 (12:09 IST)
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન કાઢી નાખવાના ચુડાસમાની દાદને હાઇકોર્ટે ફગાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે પણ રાહત આપી નથી. જેથી અશ્વિન રાઠોડે કરેલી પિટિશન પર આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. કોંગ્રેસના અશ્વિન રાઠોડે હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી એવી રજૂઆત કરી હતી કે, ભાજપાના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 327 મતે વિજયી બન્યા છે. જોકે આ ચૂંટણીમાં જીત માટેના મહત્વના 429 જેટલા પોસ્ટલ બેલેટને ચૂંટણી અધિકારીએ રદ્ કર્યા હતા. 
જો તે રદ્ કરવામાં ન આવ્યા હોત તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જીતી શક્યા ન હોત. ચૂંટણી જાહેર થઇ ત્યારે ધોળકાના ડેપ્યુટી કલેક્ટર ગૌરાંગ પ્રજાપતિ હતા જ્યારે આચારસંહિતા અમલમાં આવ્યા બાદ તેમને બદલીને ધવન જાનીને તે પદ પર મૂકવામાં આવ્યા હતા. ચૂંટણી પંચની સૂચના પ્રમાણે ઇવીએમના મતોની ગણતરી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવી ફરજિયાત છે તેનું પાલન કરવામાં આવ્યું ન હતું. જ્યારે ઇવીએમમાં બંને ઉમેદવારો વચ્ચે નજીવો તફાવત હોવાને કારણે પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી.
આ પિટિશન કરવાનો ઉમેદવારને હક નહીં હોવાની તેમજ તેમની પિટિશન રદ્ કરવા માટે ભૂપેન્દ્ર ચુડાસમાએ રજૂઆત કરી હતી.તેમજ આ પિટિશન કાયદાકીય રીતે ચલાવવા લાયક નહીં હોવાની પણ રજૂઆત કરી હતી. જો કે હાઇકોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી હતી. જે હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ સામે સ્ટે આપવાનો પણ ઇન્કાર કરી આ અરજી ફગાવી દીધી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments