Webdunia - Bharat's app for daily news and videos

Install App

CA ફાઇનલનુ પરિણામ જાહેર ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ

Webdunia
ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (14:53 IST)
ધ ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી ફાઇનલ સી.એ.ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયુ છે. બન્ને ગ્રુપનું પરિણામ ૨૨.૭૬ ટકા જેટલુ આવ્યુ છે. જયારે ગ્રુપ એકનુ પરિણામ ૧૫.૯૧ અને ગ્રુપ બે નુ પરિણામ ૧૫.૧૧ ટકા જેટલુ આવ્યુ છે. અમદાવાદમાં બન્ને ગ્રુપનુ પરિણામ ૧૩.૯૮ ટકા જેટલુ આવ્યુ છે.  સી.એ. ફાઇનલની પરીક્ષા ૧૬મી નવેમ્બર ૨૦૧૭ના રોજ લેવામાં આવી હતી. આ સાથે જે સીપીટીની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરી દેવાયુ છે. સી.એ.ફાઇનલના આજે જાહેર કરાયેલા પરિણામમાં  અમદાવાદ સેન્ટરનું બન્ને ગ્રુપનુ પરિણામ ૨૮.૩૩ ટકા જેટલુ આવ્યુ છે. અગાઉ મે માસમાં જાહેર કરાયેલા પરિણામમાં ૨૬.૮૮ ટકા પરિણામ અવ્યુ હતુ. આમ, અગાઉના પરિણામ કરતાં અંદાજે બે ટકા જેટલુ પરિણામ ઉંચુ આવ્યુ છે. અમદાવાદમાં એ ગ્રુપમાં કુલ ૧૧૦૫ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી ૨૧૮ પાસ થતાં એ ગ્રુપનુ પરિણામ ૧૯.૭૩ ટકા આવ્યુ છે. આજ રીતે ગ્રુપ બે માં ૧૩૨૩ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી ૧૮૫ પાસ થતાં ગ્રુપ બે નુ ૧૩.૯૮ ટકા પરિણામ આવ્યુ છે. જયારે બન્ને ગ્રુપમાં ૧૦૨૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૨૮૯ પાસ થતાં ૨૮.૩૩ ટકા પરિણામ આવ્યુ છે. અગાઉ મે ૨૦૧૭માં જાહેર કરાયેલા સી.એ.ફાઇનલના પરિણામમાં અમદાવાદ સેન્ટરનું બન્ને ગ્રુપનુ મળીને ૨૬.૮૮ ટકા પરિણામ આવ્યુ હતુ. આમ, આ વખતે અમદાવાદ શહેરનુ પરિણામ ૧.૪૫ ટકા જેટલુ વધ્યુ છે. સી.એ. ફાઇનલના આજે જાહેર કરાયેલા પરિણામમાં અમદાવાદની પ્રાપ્તિ બી. પંચોલીએ ઓલ ઇન્ડિયામાં ૧૩માં રેંક, કિશનકુમાર મેર ઓલ ઇન્ડિયામાં ૨૯ અને કલ્યાણી એન.મહેતાએ ઓલ ઇન્ડિયામાં ૩૧માં રેંકમાં સ્થાન મેળવ્યુ છે. આમ, ઓલ ઈન્ડિયાના ટોપ ૫૦માં અમદાવાદ સેન્ટરના ત્રણ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments