Webdunia - Bharat's app for daily news and videos

Install App

આગામી વિઘાનસભાની તમામ બેઠકો જીતીશું, પક્ષમાં જૂથવાદને નહીં ચલાવી લેવાયઃ સી.આર. પાટીલ

Webdunia
ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (14:47 IST)
ભાજપ ગુજરાતનાં અધ્યક્ષ સી. આર. પાટીલ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસે છે. આજે તેમનો બીજો દિવસ છે. પ્રદે અધ્યક્ષે આજે ભાજપના કાર્યકર્તાઓને અનેક વાતો સમજાવી દીધી છે. તેમણે કાર્યકર્તાઓને સ્પષ્ટ વાત કરતા કહ્યું કે, જૂથવાદ કરનારને તેનું સ્થાન બતાવાવમાં આવશે. અમે કાર્યકરોને વિનંતી કરી છે કે, તેઓ ક્યારેય જૂથવાદમાં પડે નહીં. તમે તમારા મેરિટ ઉપર જ લક્ષ્ય આપજો. તમને તમારા કરેલા કામ પરથી જવાબદારી સોંપવામાં આવશે. કોઇના કહેવાથી અને કોઇના જૂથમાં રહેવાથી કોઇ જવાબદારી નહીં મળે.સી. આર પાટીલે વધુમાં જણાવ્યું કે, 2022માં તમામ 182 બેઠક પર અમે જીતીશું. લોકસભાની 26માંથી 26 બેઠક જીત્યા હતા તેવી જ રીતે વિધાનસભાની પણ 182માંથી 182 બેઠકો પર જીત મેળવીશું. 182 બેઠકો જીતવી અધરી વાત નથી. આ માટે અત્યારથી જો કહેલા કામ પાર પાડશે તો આ જીત એક હજારને એક ટકા નક્કી છે.આ ઉપરાંત તેમણે કાર્યકર્તાઓનાં શિક્ષક બનીને પણ અનેક વાતોની ટકોર કરી કે, કાર્યકરોને જૂથવાદથી દૂર રહી કામ કરવું જોઇએ. નેતાઓના ઝભ્ભા પકડવાના બદલે પેજ સમિતિમાં સાચા કાર્યકરોને સ્થાન આપવા સૂચના આપવામાં આવી છે. ચૂંટણીમાં જો ટિકિટ જોઇતી હશે તો છેલ્લી 4 ચૂંટણીમાં પેજ-બુથમાં પક્ષને લીડ હોવી જરૂરી છે. જો લીડ ન હોય તો ટિકિટની અપેક્ષા ન રાખવી. લોકોના કામ કરવા કાર્યકરોને ટકોર કરી છે. મંત્રીઓ-સાંસદો પાસે લોકોના પ્રશ્નો પહોંચાડવાની કાર્યકરોની જવાબદારી છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments