Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્રાન્ડેડ કંપનીના ઘી નામે નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું

Webdunia
ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (22:46 IST)
અમદાવાદમાં નકલી દારૂ બાદ ડુપ્લીકેટ ઘી બનાવવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ નજીક આવેલા ચાંદોગરની એક ફેક્ટરીમાં નકલી ઘી બનાવવામાં આવતું હતું. નકલી ઘીના 215 પાઉચ, તેલ, ઘી, પેકિંગ મશીન સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. પોલીસને અમૂલ તથા સાગર જેવી બ્રાન્ડના 500 ગ્રામના પાઉચ કબ્જે કર્યા હતા. 500 ગ્રામ ઘીનું પાઉચ હોલસેલમાં માત્ર 55 રૂપિયાના ભાવે વેચતા હતા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદોગર ખાતે એક ફેક્ટરીમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું ઝડપાયું હતું. ડુપ્લીકેટ ઘી સસ્તા ભાવે વેચતા શૈલેષ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. 
 
અમદાવાદમાં બ્રાન્ડેડ કંપની ના નકલી ઘી બનાવવાનો પર્દાફાશ થયો છે. ચાંગોદરના શ્યામ એસ્ટેટમાંથી સોયાબીન તેલ, પામોલીન તેલ તેમજ વનસ્પતિ ઘીમાં ભેળસેળ કરીને અમૂલ ઘી અને સાગર ઘી તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ પાડીને નકલી ઘીના 215 પાઉચ તેમજ તેલ, ઘી, પેકિંગ મશીન સહિતની સામગ્રી કબજે કરી હતી. બજારમાં 239 રૂપિયામાં 500 ગ્રામ વેચાતુ ઘીનું પાઉચ શૈલેષ સોલંકી 55 રૂપિયોમાં વેપારીને વેચતો હતો.
 
ગોડાઉનમાં રેડ પાડી સોયાબીન તેલના ભરેલા 9 ડબ્બા, પામોલીન તેલના ભરેલા 9 ડબ્બા, ડાલડા ઘીના 20 ડબ્બા, ફલેવર તેમજ ઘીના પાઉચ પેક કરવાનું મશીન મળી આવ્યું હતું. આ સાથે ગોડાઉનમાંથી સોયાબીન તેલના ખાલી 70 ડબ્બા, પામોલીન તેલના ખાલી 69 ડબ્બા અને ડાલડા ઘીના ખાલી 241 ડબ્બા મળી આવ્યા હતા. તેમજ નકલી ઘી બનાવી વેચનાર શૈલેષ સોલંકીની ધરપકડ કરી પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments