Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપે રાજ્યસભાના 2 ઉમેદવારોના નામની કરી જાહેરાત, નવા ચહેરાઓને મળ્યો ચાન્સ

Webdunia
મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (13:08 IST)
ગુજરાતમાં આગામી 1 માર્ચના રોજ ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જોવાની છે. અહેમદ પટેલ અને અભય ભારદ્રાજના નિધન બાદ આ બે બેઠકો ખાલી પડી હતી. આ બે બેઠકોને લઇને ભાજપે બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે ભાજપે નવા મૂરતિયાને મેદાનમાં ઉતારતાં દિનેશભાઈ પ્રજાપતિ અને રામાભાઈ મોકરિયાના નામની ભાજપે જાહેરાત કરી છે.
 
પક્ષે બંને નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. રામ મોકરિયા બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ રાજકોટ ભાજપના જુના કાર્યકર છે. તો દિનેશ પ્રજાપતિ બનાસકાંઠાના આગેવાન છે. તેઓ પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ભૂતકાળમાં બોર્ડ નિગમના ડાયરેકટર રહી ચુક્યા છે. તો રામભાઈ મોકરિયા એબીવીપીના કાર્યકર રહી ચૂક્યા છે. 
 
ગુજરાતમાં 1 માર્ચમાં યોજવા જઈ રહેલ રાજ્યસભાની બે બેઠકની ચૂંટણીને લઇને ભાજપે 2 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. દિનેશભાઈ પ્રજાપતિ અને રામાભાઈ મોકરિયાના નામની ભાજપે જાહેરાત કરી છે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 18 ફેબ્રુઆરી રહેશે. 
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલનું  25 નવેમ્બરના રોજ નિધન થયું હતું. ત્યારે બાદ આ બેઠક ખાલી પડી છે. અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ લાંબા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. 
 
જો કે તેમના ફેફસા પર ગંભીર અસર થતા તેમની સ્થિતી ખુબ જ નાજુક હતી. અને 1 ડીસેમ્બરના રોજ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારથી ગુજરાતની આ બન્ને બેઠકો ખાલી પડી છે. જેની ચૂંટણી અગામી 1 માર્ચના રોજ યોજવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments