Webdunia - Bharat's app for daily news and videos

Install App

નદી-તળાવમાં દશામાની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ, શ્રદ્ધાળુઓએ વિરોધમાં બ્રિજ પર મુકી દીધી મૂર્તિઓ

Webdunia
ગુરુવાર, 30 જુલાઈ 2020 (15:46 IST)
ગુજરાતમાં ગત 10 દિવસથી શ્રદ્ધાપૂર્વક થઇ રહેલા દશામાના વ્રત બુધવારે છેલ્લો દિવસ હતો. વ્રતની સમાપ્તિ પર જાગરણ સાથે દશામાની પ્રતિમાઓને નદી તળાવોમાં વિસર્જન કરવામાં આવે છે. જોકે આ વર્ષે કોરોનાના લીધે મહાનગરપાલિકાએ દશામાની મૂર્તિઓને વિસર્જન પર પ્રતિબંધ લગાવ્યો છે. શ્રદ્ધાળુઓને વહિવટીતંત્રએ કૃત્રિમ તળાવ બનાવવાની માંગ કરી હતી. પરંતુ પરવાનગી મળી નહી. તેના લીધે અમદાવાદમાં શ્રદ્ધાળુઓએ વિરોધના સ્વરૂપમાં દશામાની મૂર્તિઓ વિભિન્ન બ્રિજના છેડે મુકી દીધી. 
 
વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાયે કોરોનાની મારામારીના લીધે શ્રાવણ માસમાં સ્નાન અને દશામાની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાલિકા તરફ તેના માટે નોટિફિકેશ જાહેર કરવામાં આવ્યું હતું. તેના લીધે શ્રદ્ધાળુ દશામાની મૂર્તિના વિસર્જન માટે અલગ અલગ કૃત્રિમ તળાવ બનાવવાની માંગી કરી રહ્યા હતા પરંતુ વહિવટી તંત્રએ માંગ સ્વિકારવાની મનાઇ કરી દીધી હતી. દશામાની મૂર્તિઓ વિસર્જન માટે પોતાની જિદ પર અલગ હતા અને તેના માટે 5000 રૂપિયા દંડ ભરવા માટે પણ તૈયાર હતા. 
 
તો બીજી તરફ શહેરના સંજયનગર અને કિશનવાડીના રહેવાસીઓએ મંગળવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના બંગલાની બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કાજે તે નદી તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરશે. તેના માટે તે વહિવટે તંત્ર દ્વાર લગાવવામાં આવેલા 5000 રૂપિયાનો દંડ ભરવા માટે તૈયાર છે. મળતી માહિતી અનુસાર હિંદુ સંગઠન દશાની મૂર્તિઓ એકત્ર કરીને મહિસાગર નદીમાં વિસર્જન કરવાની તૈયારીમાં લાગી ગયું છે. જોકે વહિવટીતંત્રએ શહેરના તળાવો અને નદીના ઘાટ પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

કોલકાતા: જુનિયર ડોકટરો કામ પર પાછા ફરશે, આંદોલન 'આંશિક રીતે' સમાપ્ત

મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લાંબી કતારો, ગઈકાલથી ઘણા લોકો લાઈનમાં છે

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

આગળનો લેખ
Show comments