Webdunia - Bharat's app for daily news and videos

Install App

માંડવી તાલુકાના વિરપોર ગામે DJ બંધ કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો

Webdunia
શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (23:46 IST)
ગુજરાતના માંડવીના વિરપોર ગામે એક લગ્નમાં   DJ બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસ પર પથ્થરમારો થયો છે. આ  DJ પાર્ટીમાં કોવિડ-19 ગાઇડ લાઇનના રીતસર  ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. વિરપોર ગામે લગ્ન પ્રસંગે ડી.જે બંધ કરાવવા ગયેલી પોલીસ ઉપર પથ્થરમારો કરાતા ભાગદોડ મચી ગઇ હતી.પોલીસ સાથે ઘર્ષણ થતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. માંડ માંડ થાળે પડેલા ઘર્ષણ બાદ પોલીસે શુક્રવારે જાહેરનામા ભંગ અને એપેડેમિક એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
 
માંડવી તાલુકાના વિરપોર ગામે પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો.શુક્રવારની રાત્રિના રોજ માંડવી પોલીસ વિરપોર ગામે લગ્ન પ્રસંગે ચાલતા ડી.જેને બંધ કરાવવા માટે પહોંચી હતી, દરમિયાન હાજર લોકોએ ડી.જે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ કરી પથ્થરમારો કર્યો હતો. હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્યારે સરકાર દ્વારા કોવિડ-19 અંતર્ગત કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
 
ઘટનામાં માંડવી પોલીસે કોવિડ-19 ગાઇડ લાઈનનું ભંગ કરવા બદલ અને પોલીસ સાથે ઘર્ષણ કરવા બદલ 3 લોકો સામે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ લોકોએ સોશિયલ ડીસ્ટન્સ નો ભંગ તથા માસ્ક થી વંચિત હતા. સ્થાનિક પોલીસ ગાઈડ લાઈનના ઉલ્લંઘન બદલ ત્યાં પહોચી હતી ત્યારે એક મોટું ટોળું ઉશ્કેરાઈ ગયું
 
માંડવી તાલુકાના વિરપોર ગામે તાલુકા પંચાયતના શાસક પક્ષ નેતાને ત્યાં રાત્રિના લગ્નમાં સ્થાનિક પોલીસ DJ બંધ કરાવવા જતાં પોલીસ પર સગાવ્હાલાંઓએ પથ્થરમારો કરી પોલીસને દૂર સુધી ભગાડી હતી. તેમ છતાં પોલીસે આખી રાત ગઈ કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. જો કે પોલીસ પર જાન લેવા હુમલો થતો હોય અને તોય પોલીસે ગંભીર કાર્યવાહી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે. હતું અને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સાથે  ઘર્ષણ કર્યું હતું. આ ઘટનામાં ઘટનામાં માંડવી પોલીસે 3 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments