Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંજારમાં બે યુવતીને ભગાડી જવાના મુદ્દે જૂથ અથડામણ, દુકાનોને આગચંપી

Webdunia
શનિવાર, 4 માર્ચ 2017 (12:30 IST)
અંજારમાં બે બહેનોને વિધર્મી યુવકે ભગાડી ગયા બાદ યુવતીનો કોઇ પત્તો ન મળતાં શુક્રવારે બજારમાં આવેલી યુવકની દુકાનને ટોળાંએ ભેગા મળી સામાન બહાર ફેંકી દુકાન અને સામાનને આગ લગાડી દેતાં અંજારમાં અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે આજે સવારે અંજારમાં લોકોના ટોળાં ભેગા થયા હતાં જેને ભગાડવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેમાં એક ટીયરગેસનો સેલ પણ છોડવામાં આવ્યો હતો. બનાવને પગલે પૂર્વ કચ્છનો ભારે પોલીસ કાફલો અંજાર ખાતે ખડકી દેવામાં આવ્યો. 

અંજારમાં ગત 28ના એક જ પરિવારની બે બહેનોને વિધર્મી યુવકે ભગાડી જતાં પોલીસ ફરિયાદ કરાઇ હતી, પરંતુ બે દિવસ બાદ પણ યુવતીઓનો કોઇ પત્તો ન લાગતાં પરિવારજનો અને સમાજના લોકો રોષે ભરાયા હતા. આ દરમિયાન શુક્રવારે સાંજે  400થી 500 લોકોના અજાણ્યા ટોળાએ 12 મીટર બજારમાં આવેલી ભગાડી જનારા યુવકની મનાતી દુકાન પાસે પહોંચ્યા હતા. દુકાનમાં બેઠેલા વ્યક્તિને માર મારી ભગાડી દઇ દુકાનનો સામાન બહાર ફેંક્યો હતો.  આ જ સમયે પોલીસની એક વાન ટોળા સુધી પહોંચી ગઇ હતી, પરંતુ 500 જેટલા લોકોના ટોળા સામે તેઓ લાચાર બની ગયા હતા.

 ટોળાએ સામાન બહાર ફેંકતા સમગ્ર બજારની દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી. ટોળાએ દુકાનનો સામાન અને ફર્નિચર સહિતનો માલ રસ્તા પર ફેંકી આગ ચાંપી દીધી હતી. દરમિયાન, આ વાત ગામમાં ફેલાઇ જતાં એક તબક્કે અફરાતફરી મચી જવા પામી હતી. ટોળાએ આગ ચાંપી વિખેરાઇ ગયું હતું. દુકાનની બાજુની કંદોઇની દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાની વાત મળતાં આગ બૂઝાવી રહેલા ફાયરફાઇટરને પણ પસીનો છૂટી ગયો હતો, પરંતુ આગ પર હેમખેમ કાબૂ કરી લેવામાં આવ્યો હતો. બનાવના પગલે પૂર્વ કચ્છની પોલીસ અંજારમાં ખડકી દેવાઇ હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments