Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના મહામારીને કારણે અંબાજી ભાદરવી પુનમનો મેળો રદ

Webdunia
મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (17:06 IST)
આરાશુરી અંબાજી મંદિરમાં આગામી તા. 27 થી તા. 4-9ના સમયગાળા દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો આવે છે. જેમાં અંદાજે 25 લાખ ઉપરાંતના યાત્રાળુઓ ગુજરાત તથા બહારના રાજ્યોમાંથી દર્શનાર્થે આવે છે. જેમાં મોટાભાગના યાત્રાળુઓ પગપાળા સંઘ સ્વરુપે આવે છે. આ યાત્રાળુઓ માટે અંબાજી આવવાના માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પો થતા હોય છે. વિવિધ સ્થળો પર પંડાલો નાખવામાં આવે છે. વિનામૂલ્યે ભોજન તથા પ્રસાદની વ્યવસ્થા થતી હોય છે. ભાદરવી પૂર્ણિમાના મહામેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ અંબાજી ગામમાં તેમજ અંબાજી આવવાના માર્ગો ઉપર એકઠા થતા હોઇ કોરોના વાયરસ સંક્રમણની પુરેપુરી શક્યતાઓ રહેલી છે.જો અંબાજી મંદિરે દર્શનાર્થે સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે પણ ખુલ્લુ રાખવામાં આવે તો પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોઇ તેમને દર્શન વ્યવસ્થા સોશ્યલ ડીસ્ટન્સ સાથે ઉપલબ્ધ કરાવી શકાય તેમ નથી. આ સંજોગોને જોતાં આગામી તા. 24-8 થી તા. 4-9 સુધી અંબાજી મંદિર તેમજ ગબ્બર દર્શનાર્થે બંધ રાખવું હિતાવહ છે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલેએ જાહેરનામું બહાર પાડીને જણાવેલ છે કે બનાસકાંઠા જિલ્લાના અંબાજી મુકામે શ્રી અંબાજી મંદિર તથા ગબ્બર મંદિરમાં તા. 24-8 થી તા. 4-9 સુધી દર્શન માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ જાહેરનામુ અંબાજી મંદિરના પુજારીઓ તથા સરકારી ફરજ પરના અધિકારી-કર્મચારીઓને લાગુ પડશે નહીં.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments