Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપનો અલ્પેશ રાધનપુરથી હાર્યો, કોંગ્રેસના રઘુ દેસાઈની જીત

Webdunia
ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (15:49 IST)
ગુજરાતમાં છ વિધાનસભાની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી છે. ભાજપના ગઢ કહેવાતા  રાધનપુરમાં કોંગ્રેસનાં રધુ દેસાઇ જીતી ગયા છે. જ્યારે ભાજપનાં અલ્પેશ ઠાકોરની કારમી હાર થઇ છે. મહત્વનું છે કે કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર અને બાયડનાં ધવલસિંહ ઝાલાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તો બીજી બાજુ થરાદમાં કૉંગ્રેસનાં ગુલાબસિંહ રાજપૂતની 6420 મતોથી જીત થઇ છે. આ પહેલા બાયડમાં પણ કૉંગ્રેસનાં ઉમેદવારની જીત થઇ છે અને સામે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધવલસિંહ ઝાલાની હાર થઇ છે. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે, સામાન્ય રીતે પેટાચૂંટણીમાં સરકારનો હાથ ઊંચો રહેતો હોય છે, સરકારી મશિનરીનો દુરુપયોગ થાય, પોલીસનો દુરુપયોગ થાય, વહિવટીતંત્રનો દુરુપયોગ થાય, પૈસાનો બેફામ વેપલો કર્યો છતાંય જનતા ક્યારેય પક્ષપલટુઓ સાથે રહી નહીં. જનતાએ માત્ર પક્ષપલટુ ઉમેદવારોને પાઠ નથી ભણાવ્યો, માત્ર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને નહીં પરંતુ બીજેપીને પણ પાઠ ભણાવ્યો છે. ગુજરાતની જનતાએ બીજેપીના ગાલ પર તમાચો માર્યો છે. કારણ કે જનતા બીજેપીના પક્ષપલટા અને 'ખરીદ-વેચાણ સંઘ'થી થાકી ગઈ છે. અને પ્રજાએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તમારે જેને ખરીદવા હોય તેને ખરીદો પણ જનતા આવા લોકોને સ્વીકારશે નહીં. જે રીતના વલણો જોઈ રહ્યા છો એ રીતે કૉંગ્રેસ સ્પષ્ટ રીતે આગળ વધી રહી છે. અમરાઈવાડી વિસ્તાર જે બીજેપીનો ગઢ ગણાય છે ત્યાં પણ તેમના ઉમેદવારને ફાંફાં પડી રહ્યા છે એના પરથી સ્પષ્ટ સંકેત છે કે જનતા પોતાનું પડખું બદલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments