Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોરબી જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લો, માળિયા હાઇવે 36 કલાક માટે બંધ કરાયો

Webdunia
મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (15:17 IST)
All dam overflows in Morbi district, Malia highway closed for 36 hours
છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ ઉપર વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પણ વારંવાર નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે, નદી તળાવની આસપાસ ન જાય અને નિચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતર કરે તથા પાણીનું વહન વધુ હોય તેવા વિસ્તારોમાં ન જાય. કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની 6 કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 
 
મોરબી જિલ્લાના લગભગ તમામ ડેમ ઓવરફ્લો
મોરબી જિલ્લાના માળીયા ખાતે આવેલ મચ્છુડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોવાથી ઓવરફલો પાણી સામખીયારી અમદાવાદ હાઇવે રોડ ઉપર, હરીપર ખીરઈ તા-માળીયા મીયાણા રોડ ઉપર પાણી રોડ ઉપર ફળી વળેલું હોવાથી માળીયા હાઈવે રોડ આજરોજ આશરે ૩૬ કલાક સુધી ડાયવર્ઝન રાખેલ છે. જેથી કચ્છ જિલ્લામાંથી અમદાવાદ તરફ જતા તમામ વાહનના ચાલકોને અપીલ કરવામાં આવે છે કે, સામખીયારી ચામુંડા હોટલ પરથી ડાયવર્ઝન આપેલો હોવાથી રાઘનપુર પાલનપુર રોડનો ઉપયોગ ક૨વા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે જિલ્લાના લગભગ તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.મચ્છુ-૧ ડેમ ૧૦૦% ભરાઈ ચૂક્યો છે. ડેમમાં હાલ ૬૦,૧૯૯ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. સામે ડેમ ૪.૨ ફૂટ ઓવરફ્લો થઈ રહ્યો છે અને ૬૦,૧૯૯ ક્યુસેક પાણી આઉટફલો થઈ રહ્યો છે. મચ્છુ-૨ ડેમ ૧૦૦% ભરાઈ ચૂક્યો છે. 
highway closed for 36 hours
મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના
હાલમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ અન્વયે આપત્તિના બનાવ સમયે તેમજ અન્ય જરૂરિયાત ઊભી થઈ તાત્કાલિક મેડિકલ સારવાર આપી શકાય તે હેતુ માટે મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે. જનરલ હોસ્પિટલ ખાતે તા. ૨૭/૦૮/૨૦૨૪ થી તા. ૨૮/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાક સુધી તબીબી અધિકારીશ્રી ડો. એન.એન. રૂપાલાના માર્ગદર્શન હેઠળની ટીમ ઈમરજન્સી વિભાગ ખાતે ઉપલબ્ધ રહેશે. જ્યારે તા. ૨૮/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાકથી તા. ૨૯/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાક સુધી તબીબી અધિકારીશ્રી ડો. દર્શન પટેલના માર્ગદર્શન હેઠળની ટીમ ઈમરજન્સી વિભાગ ખાતે ઉપલબ્ધ રહેશે. સિવિલ હોસ્પિટલના અધિક્ષકશ્રી તથા આર.એમ.ઓ.ની સુચના મુજબ રિસ્પોન્સ ટીમ્સ કાર્યરત રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments