Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ફૂટપાથ પાસે સૂતેલા અપંગ પર કાર ચઢાવતા મોત, ચાલક ફરાર

Webdunia
શનિવાર, 20 જુલાઈ 2019 (13:02 IST)
અમદાવાદમાં પકવાન ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર પાર્કિંગની જગ્યાએ સુતેલા એક વૃદ્ધ શ્રમિક અકસ્માતનો ભોગ બન્યા છે. કાર ચાલકને રાત્રે ન દેખાતા સુતેલા વૃદ્ધ પર કાર ચઢાવી દેતા ઘટના સ્થળે જ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે.અમદાવાદનાં પકવાન ચાર રસ્તા પાસે શુક્રવારે રાત્રે 12 વાગ્યે પકવાન બીટ પોલીસ ચોકી પાછળ જ અકસ્માત સર્જાયો છે.

એક કાર ચાલક કાર પાર્ક કરવા ગયો ત્યારે તેને સુતેલા એક વૃધ્ધ પર કાર ચઢાવી દીધી હતી. વૃદ્ધનાં છાતીનાં ભાગે કારનું પૈડું ફરી વળતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતમાં મૃત પામેલા વૃદ્ધનું નામ સુખલાલ દુબેલાલ પાવરી હોવાનું સામે આવ્યું છે. 65થી 70 વર્ષના સુખલાલ મૂળ રાજસ્થાનના હતા. તેઓ એકાદ મહિનાથી છુટક મજૂરી તથા રમકડાં વહેંચવાનું કામ કરતા હતાં. તેઓ તેમના પુત્ર અને પરિવાર સાથે રહેતા હતાં.તેમનો પરિવાર પણ આ જ રસ્તા પર આગળ રહેતો હતો.

ઘટનાની રાત્રે મૃતકના પુત્ર અમરલાલ જમવાનું લેવા ગયા. તેમણે પરત આવીને જોયું તો આ દુર્ઘટના બની હતી.હાલ પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી મૃતકની લાશનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.મૃતકને 10 વર્ષથી લકવાની બીમારી હતી અને વહીલ ચેર સાથે તેઓ અહીં સર્વિસ રોડ પર પાર્કિંગની જગ્યાએ રહેતા હતા. હાલ પોલીસે આરટીઓની મદદથી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments