Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાંદીપુરા વાયરસના ખતરા સામે AMC સજ્જ: અમદાવાદમાં બાળ આરોગ્યને કેન્દ્રમાં રાખીને વિશેષ સાવચેતી, સઘન સર્વેલન્સ શરૂ

Ahmedabad Operation Monsoon
ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે ચાંદીપુરા વાયરસ અને ડેન્ગ્યુ જેવા ઘાતક રોગોનો ખતરો વધવાની આશંકાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સમગ્ર શહેરમાં 'ઓપરેશન મોનસૂન' શરૂ કરવામાં આવ્યું છે. મચ્છરજન્ય અને વાયરસથી ફેલાતા રોગચાળાને ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગે તમામ ઝોનમાં સર્વેલન્સ, લાર્વા ડિસ્ટ્રક્શન (મચ્છરોના પોરાનો નાશ), ફોગિંગ અને તાવના દર્દીઓના મોનિટરિંગની કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરી દીધી છે. આ ઉપરાંત, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ ખાસ કરીને ચાંદીપુરા વાયરસની તપાસ અને અટકાયત માટે અલગ-અલગ સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી છે.

 

બાળ આરોગ્ય કેન્દ્ર સ્થાને: ચાંદીપુરા વાયરસ સામે ખાસ તકેદારી

રાજ્યમાં અગાઉ નોંધાયેલા ચાંદીપુરા વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા બાળ આરોગ્યને કેન્દ્રમાં રાખીને વિશેષ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને કોઈ પણ શંકાસ્પદ કેસ સામે આવે તો તેની તાત્કાલિક અસરથી તંત્રને જાણ કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ સાથે જ શહેરના તમામ બાળરોગ નિષ્ણાતો (Pediatricians) ને પણ સતત એલર્ટ મોડ પર રહેવા માટે જણાવાયું છે.
 

ઘરે-ઘરે સઘન ચેકિંગ અને મચ્છરોના ઉત્ત્પતિ સ્થાનોનો નાશ

આરોગ્ય વિભાગની ટીમો દરરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને પાણી ભરાઈ રહેતું હોય તેવા સ્થળોની તપાસ કરી રહી છે. ઘર વપરાશના કુલર, ઓવરહેડ ટાંકીઓ, ફૂલદાની, અગાશી પર પડેલા જૂના ટાયરો, બાંધકામ ચાલતું હોય તેવી સાઇટ્સ અને અન્ય સંભવિત જગ્યાઓ પર ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કોઈ જગ્યાએ મચ્છરોના લાર્વા (પોરા) મળી આવે તો તેનો તાત્કાલિક નાશ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબના વિસ્તારોમાં ફોગિંગ તથા એન્ટી-લાર્વલ દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
ALSO READ: લોહીના નહીં લાગણીના સંબંધો: 15 વર્ષ જૂનો સાથ છૂટતા જ માલિક પાછળ પાલતુ કૂતરાએ પણ ત્યજી દીધા પ્રાણ

 

જાહેર સ્થળો પર રડાર અને તાવના દર્દીઓનું સઘન ટ્રેકિંગ

આ સઘન ઝુંબેશ અંતર્ગત માત્ર રહેણાંક વિસ્તારો જ નહીં, પરંતુ શાળાઓ, આંગણવાડીઓ, હોસ્પિટલો, જાહેર બગીચાઓ, બજારો અને અન્ય ભીડભાડવાળા જાહેર સ્થળોને પણ આરોગ્ય વિભાગના રડાર હેઠળ આવરી લેવાયા છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોને વહેલી તકે શોધીને સારવાર આપી શકાય તે માટે ફીવર સર્વેલન્સ (તાવના દર્દીઓની તપાસ) વધારવામાં આવ્યું છે. દૈનિક ધોરણે તાવના દર્દીઓનો ડેટા એકત્ર કરી જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન આ વિશેષ મોનિટરિંગ સતત ચાલુ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jagannath Rath Yatraજગન્નાથ યાત્રા માટે લાખો ભક્તો ઉમટ્યા